MLA પદેથી બાપુનું રાજીનામું, કહ્યું, કોઇ પક્ષમાં નહીં જોડાઉં
કપડવંજના ધારાસભ્ય પદેથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું
ગુજરાત રાજ્યસભા ચૂંટણી પછીથી શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યા હતા. ત્યાર બાદ બુધવારે શંકરસિંહે પણ આખરે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. શંકરસિંહ વાઘેલા કપડવંજના ધારાસભ્ય હતા અને આ પદેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચક હાજરી જોવા મળી હતી.

બાપુએ કોંગ્રેસ છોડ્યા બાદથી તેઓ ભાજપમાં જોડાવાના હોવાની વાતોએ જોર પકડ્યું હતું, હવે બાપુના રાજીનામાં બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા હતી. જો કે, રાજીનામાં બાદ શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતાં સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ કોઇ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. તેમણે કહ્યું હતું કે, હું ઘણા વખતથી રાજીનામું આપવાનો વિચાર કરતો હતો. કપડવંજના ધારાસભ્ય પદેથી મેં રાજીનામું આપ્યું છે, આ વિસ્તારના લોકોનો આભાર માનું છું. હું રાજકારણમાં તો રહીશ, પરંતુ હવે કોઇ રાજકીય પક્ષમાં નહીં જોડાઉં. હું કોઇની ખેસ કે કંઠી ધારણ કરવાનો નથી.
તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, 'બાપુ અમારા વડીલ છે, તેથી અમે હાજર રહ્યાં. હવે બાપુ કોંગ્રેસના નથી. બાપુના રાજીનામાથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે, એ વાત તો ચોક્કસ છે.' હવે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકો કઇ રણનીતિ સાથે સામે આવશે, એ જોવાનું રહે છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
