શંકર સિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થવા નથી માંગતા
શંકર સિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થવા નથી માંગતા
ગાંધીનગરઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટવાનું નામ નથી લઇ રહ્યો, શનિવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા પણ મહામારીના લપેટામાં આવી ગયા છે. શંકર સિંહ વાઘેલાનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળેલી જાણકારી મુજબ વાઘેલા હાલ હોમ ક્વોરેન્ટાઇનમાં છે, જણાવવામાં આવી રહ્યું છે કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણ છે. શંકર સિંહ વાઘેલાએ હોસ્પિટલમાં દાખળ થવાનો ઇનકાર કરી દીધો અને હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવાનો ફેસલો કર્યો છે.
શંકર સિંહને કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે, આ દરમિયાન લૉકડાઉનનો પાંચમો તબક્કો પણ 30 જૂને ખતમ થઇ રહ્યો છે. મહામારીના પ્રસારને જોતા કેટલાય રાજ્યોએ લૉકડાઉન વધારવાનું એલાન કરી દીધું છે પરંતુ ગુજરાત સરકાર તરફથી હજી સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા કોરોના સંક્રમિત હોવાના અહેવાલથી રાજકીય નેતાઓમાં સંક્રમણનો ડર વધી ગયો છે.
એનસીપીથી રાજીનામું આપ્યું
જણાવી દઇએ કે શંકર સિંહ વાઘેલાએ સવારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી)થી રાજીનામું આપી દીધું હતું. શંકર સિંહ વાઘેલા ગુજરાતમાં એનસીપી અધ્યક્ષના પદ પર જયંત પટેલ ઉર્ફ બોસ્કીની નિયુક્તિ બાદથી જ પાર્ટી નેતૃત્વથી નારાજ નહતા. જણાવવામાં આવી રહ્યું છે કે એ નારાજગીને પગલે જ તેમણે રાજીનામું આપ્યું. જણાવી દઇએ કે રાજ્યસભા ચૂંટણીની થોડા દિવસો પહેલાથી જ શંકર સિંહ વાઘેલા જનતા સાથે મુલાકાત કરી સવાલોના સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરી રહ્યા હતા.
ગુજરાતમાં 30 હજારથી વધુ સંક્રમિત
જણાવી દઇએ કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા મામલાની સંખ્યા સતત વધી રહી છે, શુક્રવારે 580 નવા મામલા સામે આવ્યા બાદ કુલ મામલાનો આંકડો 30 હજારને પાર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં મહામારીથી અત્યાર સુધીમાં 18 દર્દીના મોત થઇ ચૂક્યાં છે. દશના વવિધ રાજ્યોમાં આનાથી પણ ખરાબ હાલાત છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ મુજબ અત્યાર સુધી દેશમાં કુલ કોરોના સંક્રમિતના 5 લાખ 8 હજાર 953 થઇ ગયા છે. જેમાંથી 1 લાખ 97 હજાર 387 સક્રિય મામલા છે, જ્યારે 2 લાખ 95 હજાર 881 લોકો સંક્રમણ મુક્તિ થઇ ગયા છે. દેશભરમાં આ બીમારીથી અત્યાર સુધી 15 હજાર 685 દર્દીના મોત થઇ ચૂક્યાં છે. ગત 24 કલાકમાં જ કોરોના વાયરસના 18, 552 નવા મામલા સામે આવ્યા છ અને 384 લોકોના મોત થયાં છે.
જ્યારે 800 ઘેટાં- બકરાં લઇ ચીની દૂતાવાસમાં ઘૂસી ગયા હતા વાજપેયી