બોટાદઃ ભાજપ સામે કોંગ્રેસના બાવળિયાનું પલડું ભારે

રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર
બોટાદ બેઠક પરથી અગાઉ ભાજપના સૌરભ પટેલ ઉભા રહેતા હતા પરંતુ નવા સીમાંકનના કારણે આ વખતે તેમને આ બેઠક પર રિપિટ કરવામાં આવ્યા નથી, તેઓ અકોટા બેઠક પરથી ચૂંટણી લડવામાં છે, તેમના સ્થાને ભાજપે નવો ચહેરો એવા ડો ટી. ડી. મણિયાને ટિકિટ આપી છે. બીજી તરફ, કોંગ્રેસે પણ જસદણ બેઠક પર વર્ચસ્વ ધરાવતાં કુંવરજીભાઈ બાવળિયાને ટિકિટ આપી છે. જીપીપીના ઉમેદવાર વિનુભાઈ દલવાડી છે.
બોટાદ બેઠક 1998થી ભાજપના કબ્જામાં રહી છે. નવા સિમાંકનના કારણે ગઢડા તાલુકાના 25 ગામોને આ બેઠકમાં ભેળવી દેવામાં આવ્યા છે, સાથે જ સમગ્ર વલ્લભીપુર તાલુકાનો સમાવેશ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો છે, જેના કારણે પટેલ મતદારોની સંખ્યા ઘટાડો નોંધાયો છે અને કોળી મતદારોની સંખ્યા વધારો થવા પામ્યો છે. 3 ટર્મથી આ બેઠક પર ભાજપના સૌરભ પટેલ વિજયી થાય છે. ગઇ ટર્મમાં ભાજપના ઉમેદવાર સૌરભ પટેલને આ બેઠક પર 3177 મતની નજીવી સરસાઇ મળી હતી અને તેથી કોંગ્રેસ માટે અહીં જીત સરળ થઇ ગઇ છે.
ભાજપ- ડો.ટી.ડી. માણીયા
ભાજપના ઉમેદવાર ડો.ટી.ડી. માણીયા છે, તેમની મિલકત 2.31 કરોડ છે. આ બેઠક પરથી સૌરભ પટેલ ખસી જવાના કારણે ભાજપે ડો.ટી.ડી. માણીયાને ટીકીટ આપી છે. માણીયા પટેલ સમાજમાંથી આવે છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી તાલુકા કક્ષાએ ભાજપનાં કાર્યકર તરીકે કામ કર્યું છે. વ્યવસાયે તબીબ અને માનવીય અભિગમ હોવાના કારણે તેઓ લોકપ્રિયતા ધરાવે છે.તેઓ પ્રથમ વાર ચુંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ સામે ભાજપના ઉમેદવાર પ્રમાણમાં ઘણા નબળા દેખાઇ રહ્યા છે. ભાજપમાં તેમની ઉમેદવારી સામે ખાસ કોઇ જુથબંધી નથી.
કોંગ્રેસ- કુંવરજીભાઇ બાવળીયા
કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળીયા છે, તેમની મિલકત 91.85 લાખ છે. તેઓ રાજકોટના સાંસદ છે. બોટાદ બેઠક પર 68000ની આસપાસ કોળી મતદાર છે અને બાવળીયા કોળી સમાજના છે. તેઓ છેલ્લા 6 માસથી અહીં ચૂંટણી લડવાની કવાયત કરી રહ્યા હતા. તેમના નામને લઇને કોંગ્રેસમાં કોઇ અસંતોષ નથી.
જીપીપી- વિનોદભાઇ પરમાર
ભાજપ સાથે છેડો પાડીને 2012ની ચૂંટણીમાં કેશુભાઇ પટેલની ગુજરાત પરવિર્તન પાર્ટીએ ઝંપલાવ્યું છે. જીપીપીના ઉમેદવાર તરીકે વિનોદ પરમાર ચૂંટણી લડી રહ્યા છે, તેઓ કોળી સમાજમાંથી આવી રહ્યાં છે. તેઓ નવા ઉમેદવાર છે અને રાજકારણમાં પણ નવા હોવાથી ચૂંટણીમાં તેમની કોઇ અસરકારકતા દેખાતી નથી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
