સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ વિશેષ કોર્ટે બધા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે પુરાવાના અભાવે વિશેષ સીબીઆઈ અદાલતે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.
બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે સીબીઆઈની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નિર્ણય સંભળાવતા સીબીઆઈ જજે કહ્યુ કે ષડયંત્ર અને હત્યા સાબિત કરવા માટે હાજર સાક્ષી અને પુરાવા સંતોષજનક નથી. અદાલતે એ પણ જોયુ કે પરિસ્થિતિ સંબંધી પુરાવા પણ પૂરતા નથી. જજે કહ્યુ કે તુલસીરામ પ્રજાપતિની હત્યાના ષડયંત્રનો આરોપ સાચો નથી. પુરાવાના અભાવે વિશેષ સીબીઆઈ અદાલતે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

કોર્ટે કહ્યુ કે સરકારી મશીનરી અને પ્રોસિક્યુટરે ઘણા પ્રયાસ કર્યા, 210 સાક્ષીઓ લાવવામાં આવ્યા પરંતુ સંતોષકારક પુરાવા મળ્યા નહિ અને સાક્ષીઓ પોતાના નિવેદનોમાંથી પલટી ગયા. જો સાક્ષીઓ ન બોલે તો પ્રોસિક્યુટરની કોઈ ભૂલ નથી. વર્ષ 2005ના આ એન્કાઉન્ટર કેસમાં 22 આરોપી કેસનો સામનો કરી રહ્યા છે, જેમાં મોટાભાગના પોલિસકર્મીઓ હતા. આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુટરના 92 સ્ક્ષીઓ પોતાના નિવેદનોમાંથી પલટી ગયા. વિશેષ ન્યાયાધીશ એસજે શર્માએ અંતિમ દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
Sohrabuddin Sheikh case: All 22 accused acquitted by Special CBI Court in Mumbai due to lack of evidence pic.twitter.com/CSdFvx7f4w
— ANI (@ANI) 21 December 2018
આ કેસમાં ગુજરાત અને રાજસ્થાનના ઘણમા પોલિસ અધિકારીઓ શામેલ છે. આ કેસમાં પ્રોસિક્યુટરનો આરોપ હતો કે સોહરાબુદ્દીનનો સંબંધ આતંકવાદી સંગઠન સાથે હતો અને તે ગુજરાતના કોઈ મોટા નેતાની હત્યાનું ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં કુલ 37 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જ્યારે 2014માં 16 લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. જેમને નિર્દોષ છોડી મૂકાયા તેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ (તત્કાલિન ગૃહમંત્રી, ગુજરાત), પોલિસ અધિકારી ડી જી વણઝારા પણ શામેલ છે. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસને મુંબઈ શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો.
Special CBI Court: Govt machinery and prosecution put in a lot of effort, 210 witnesses were brought but satisfactory evidence didn't come and witnesses turned hostile. No fault of prosecutor if witnesses don't speak https://t.co/BjjlLhZ0PY
— ANI (@ANI) 21 December 2018
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
