For Daily Alerts
બુધવારે સોનિયા ગાંધી રાજકોટમાં જનમેદનીને સંબોધશે
સોનિયા ગાંધીની રાજકોટ મુલાકાત અંગે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંઘી સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ અને લોકોની મુલાકાત માટે આવી રહ્યા છે. રેસકોર્ષ ખાતેની તેમની જનસભાને ઐતિહાસિક બની રહેશે. આ સભામાં ખેડૂતો, બૌધ્ધિકો, શ્રમિકો, યુવાનો વિગેરે જોડાશે. આ સભા રાજકિય કે, ચૂંટણી પ્રચારની નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જનતાને મળવા આવી રહ્યા છે.
ગુજરાતમાં સોનિયા ગાંધીનો ચૂંટણીલક્ષી આ પ્રથમ પ્રવાસ છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો સોનિયા અહીં જવાબ આપે તેવી પુરેપુરી શક્યતા છે.
સોનિયા ગાંધી રાજકોટમાં સભા બાદ રામકૃષ્ણ આશ્રમ, કબા ગાંધીનો ડેલો તેમજ બાલભવનની મુલાકાત લેશે. રામકૃષ્ણ આશ્રમ અને કબા ગાંધીનાં ડેલાની તેમની મુલાકાત ટૂંકી હશે. બાલ ભવન ખાતે તેઓ બાળકોનો મળે તેવી શકયતા છે.
English summary
With Gujarat CM Narendra Modi stepping up his stinging attacks against the Congress, Sonia Gandhi will formally kick off her party's election campaign in the state with a rally in Rajkot on October 3.
Story first published: Tuesday, October 2, 2012, 17:54 [IST]