For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુધવારે સોનિયા ગાંધી રાજકોટમાં જનમેદનીને સંબોધશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia gandhi
અમદાવાદ, 2 ઑક્ટોબર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે આવતીકાલે 3જી ઑક્ટોબરને બુધવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે તેમની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સોનિયા ગાંધી પોરબંદરની પણ મુલાકાતે પધારવાના હતાં. પરંતુ 2જી ઑકટોબરના રોજ રાજઘાટ ઉપર આવેલી મહાત્મા ગાંધીની સમાધી ઉપર યોજાતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં તેમની હાજરી જરૂરી હોવાથી પોરબંદરની મુલાકાત રરદ્દ કરાઇ છે.

સોનિયા ગાંધીની રાજકોટ મુલાકાત અંગે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંઘી સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ અને લોકોની મુલાકાત માટે આવી રહ્યા છે. રેસકોર્ષ ખાતેની તેમની જનસભાને ઐતિહાસિક બની રહેશે. આ સભામાં ખેડૂતો, બૌધ્ધિકો, શ્રમિકો, યુવાનો વિગેરે જોડાશે. આ સભા રાજકિય કે, ચૂંટણી પ્રચારની નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જનતાને મળવા આવી રહ્યા છે.

ગુજરાતમાં સોનિયા ગાંધીનો ચૂંટણીલક્ષી આ પ્રથમ પ્રવાસ છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો સોનિયા અહીં જવાબ આપે તેવી પુરેપુરી શક્યતા છે.

સોનિયા ગાંધી રાજકોટમાં સભા બાદ રામકૃષ્ણ આશ્રમ, કબા ગાંધીનો ડેલો તેમજ બાલભવનની મુલાકાત લેશે. રામકૃષ્ણ આશ્રમ અને કબા ગાંધીનાં ડેલાની તેમની મુલાકાત ટૂંકી હશે. બાલ ભવન ખાતે તેઓ બાળકોનો મળે તેવી શકયતા છે.

English summary
With Gujarat CM Narendra Modi stepping up his stinging attacks against the Congress, Sonia Gandhi will formally kick off her party's election campaign in the state with a rally in Rajkot on October 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X