સોનિયા ગાંધીની વિદેશ યાત્રાના મુદ્દે વડાપ્રધાન દેશને ગુમરાહ કરે છે: નરેન્દ્ર મોદી

આરટીઆઇના જવાબોને વાંચતાં તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ વર્ષ 2007 અને 2011માં બે વાર લંડનની યાત્રા કરી હતી જેમાં ક્રમશ 2.82 લાખ અને 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમને ચીનનો બે વાર પ્રવાસ કર્યો હતો જેમાં 14 અને 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમને સોનિયા ગાંધી દ્રારા કરવામાં આવેલા વિદેશ પ્રવાસ અને ખર્ચ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન દેશને ગુમરાહ કરી રહ્યાં છે. હું એક સામાન્ય માણસ તરીકે હું વડાપ્રધાનને પાક સાબિત થવા માટે કહું છું. વિદેશમાં વિભિન્ન ભારતીય દૂતાવાસો પાસેથી મળેલા આરટીઆઇ જવાબોમાં કહેવામાં આવ્યું છે સોનિયાજીના વિદેશ પ્રવાસ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યાં છે.
મોદીના તાજા આરોપો એવા સમયે સામે આવ્યાં છે કે જ્યારે વડાપ્રધાન કાર્યાલય દ્રારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું છે કે યૂપીએ અધ્યક્ષની વિદેશ યાત્રા કે તેમની સારવાર પાછળ કોઇ ખર્ચ કરવામાં આવ્યો નથી અને નરેન્દ્ર મોદીના દાવાને બરતરફ કરવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ જામનગરમાં એક રેલીને સંબોધતા કરતાં કહ્યું હતું કે હિસારના રમેશ શર્માને કેટલીક સૂચનાઓ ભારતીય દૂતાવાસ પાસેથી મળી હતી. મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાને તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની વિદેશ યાત્રા પર ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
