આજથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR ની શરૂઆત
બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ચૂંટણી પંચે મંગળવાર 4 નવેમ્બર 2025થી 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરાશે.
બિહારથી વિપરીત આ SIR પ્રક્રિયા માટે માત્ર આધાર કાર્ડ માન્ય રહેશે નહીં પરંતુ અન્ય 13 દસ્તાવેજો પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાં સુધારા માટે ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કરાશે, જે 4 ડિસેમ્બર, 2025ના રોજ સબમિટ કરવાના રહેશે.

SIR પ્રક્રિયા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, રાજસ્થાન, કેરળ, ગુજરાત, ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબારમાં લાગુ થશે. આ પૈકી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, જ્યારે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગોવામાં 2027માં ચૂંટણીઓ યોજાશે.
SIRની સમીક્ષા કરવા ચૂંટણી પંચની એક ટીમ 5 થી 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. PTIના અહેવાલ મુજબ, મુખ્ય સચિવ એસ.બી. જોશી અને નાયબ સચિવ અભિનવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટીમ કૂચ બિહાર, અલીપુરદુઆર અને જલપાઇગુડી જિલ્લાઓનું નિરીક્ષણ કરશે.
આ ટીમ BLO (બૂથ લેવલ ઓફિસર) અને રિટર્નિંગ અધિકારીઓ (ROs) દ્વારા કરવામાં આવતી કામગીરીનું મૂલ્યાંકન કરશે. બીજા તબક્કા દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં SIR હાથ ધરવામાં આવશે.
આમાંથી તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન, સંબંધિત BLO લોકોના ઘરે ત્રણ વખત મુલાકાત લેશે અને અંતિમ મતદાર યાદી ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત કરવામાં આવશે.
SIR માટે જન્મ પ્રમાણપત્ર, 10મું ધોરણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, સરકારી જમીન/મકાનના દસ્તાવેજો, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, સરકારી રોજગાર ઓળખ કાર્ડ, પેન્શન ચુકવણી ઓર્ડર, કુટુંબ રજિસ્ટરની નકલ, આધાર કાર્ડ, NRC એન્ટ્રીઓ 1 જુલાઈ 1987 પહેલા જાહેર કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ અને સરકારી જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર જેવા 13 દસ્તાવેજો માન્ય ગણાશે.
જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR યોજાવાનો છે ત્યાં કુલ 51 કરોડ મતદારો છે. ચૂંટણી પંચ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરશે અને અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. અગાઉનો SIR 2002-04માં હાથ ધરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચ માને છે કે SIR એ સુનિશ્ચિત કરશે કે કોઈ લાયક મતદાર યાદીમાંથી બાકાત ન રહે અને કોઈ અયોગ્ય મતદારનું નામ યાદીમાં શામેલ ન થાય. SIRનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સને તેમના જન્મ સ્થળની ચકાસણી કરીને યાદીમાંથી દૂર કરવાનો છે.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
