આજથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR ની શરૂઆત
બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ચૂંટણી પંચે મંગળવાર 4 નવેમ્બર 2025થી 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરાશે.
બિહારથી વિપરીત આ SIR પ્રક્રિયા માટે માત્ર આધાર કાર્ડ માન્ય રહેશે નહીં પરંતુ અન્ય 13 દસ્તાવેજો પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાં સુધારા માટે ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કરાશે, જે 4 ડિસેમ્બર, 2025ના રોજ સબમિટ કરવાના રહેશે.

SIR પ્રક્રિયા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, રાજસ્થાન, કેરળ, ગુજરાત, ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબારમાં લાગુ થશે. આ પૈકી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, જ્યારે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગોવામાં 2027માં ચૂંટણીઓ યોજાશે.
SIRની સમીક્ષા કરવા ચૂંટણી પંચની એક ટીમ 5 થી 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. PTIના અહેવાલ મુજબ, મુખ્ય સચિવ એસ.બી. જોશી અને નાયબ સચિવ અભિનવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટીમ કૂચ બિહાર, અલીપુરદુઆર અને જલપાઇગુડી જિલ્લાઓનું નિરીક્ષણ કરશે.
આ ટીમ BLO (બૂથ લેવલ ઓફિસર) અને રિટર્નિંગ અધિકારીઓ (ROs) દ્વારા કરવામાં આવતી કામગીરીનું મૂલ્યાંકન કરશે. બીજા તબક્કા દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં SIR હાથ ધરવામાં આવશે.
આમાંથી તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન, સંબંધિત BLO લોકોના ઘરે ત્રણ વખત મુલાકાત લેશે અને અંતિમ મતદાર યાદી ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત કરવામાં આવશે.
SIR માટે જન્મ પ્રમાણપત્ર, 10મું ધોરણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, સરકારી જમીન/મકાનના દસ્તાવેજો, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, સરકારી રોજગાર ઓળખ કાર્ડ, પેન્શન ચુકવણી ઓર્ડર, કુટુંબ રજિસ્ટરની નકલ, આધાર કાર્ડ, NRC એન્ટ્રીઓ 1 જુલાઈ 1987 પહેલા જાહેર કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ અને સરકારી જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર જેવા 13 દસ્તાવેજો માન્ય ગણાશે.
જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR યોજાવાનો છે ત્યાં કુલ 51 કરોડ મતદારો છે. ચૂંટણી પંચ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરશે અને અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. અગાઉનો SIR 2002-04માં હાથ ધરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચ માને છે કે SIR એ સુનિશ્ચિત કરશે કે કોઈ લાયક મતદાર યાદીમાંથી બાકાત ન રહે અને કોઈ અયોગ્ય મતદારનું નામ યાદીમાં શામેલ ન થાય. SIRનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સને તેમના જન્મ સ્થળની ચકાસણી કરીને યાદીમાંથી દૂર કરવાનો છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
