સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામમાં થઈ મોટી ભૂલ, સરકારે પણ માની
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ દરમિયાન દરેકની નજર પ્રતિમા પર હતી તો બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભૂલ શોધી કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરના રો દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન કર્યુ. આ પ્રતિમાનું ઉદઘાટન એક ભવ્ય કાર્યક્રમ સાથે કરવામાં આવ્યુ. જેમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત ઘણી ગણમાન્ય હસ્તીઓ શામેલ થઈ. એક તરફ જ્યાં આ અનાવરણ દરમિયાન દરેકની નજર પ્રતિમા પર હતી તો બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભૂલ શોધી કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે.

ખોટો સ્પેલિંગ
પ્રતિમાના ઉદઘાટન સમયે અહી આ પ્રતિમાના નામને અલગ અલગ ભાષાઓમાં લખવામાં આવ્યો હતો. તેને અંગ્રેજી, હિંદી, ઉર્દૂ, ગુજરાતી, તમિલ સહિત કુલ 10 ભાષાઓમાં લખવામાં આવ્યુ હતુ. પરંતુ તમિલ ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્પેલિંગ ખોટો હતો જેને સોશિયલ મીડિયા પર લોકોએ પકડી લીધો અને તેના પર વિવિધ મીમ્સ બનાવી દીધા. લોકોએ ગૂગલ ટ્રાન્સલેશન દ્વારા નામનો સ્પેલિંગ શેર કર્યો અને તેમાં ભૂલ બતાવી.

ટ્વિટર પર લોકોએ શેર કર્યો ફોટો
જોવા જેવા વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં શિલાપટ શેર કરવામાં આવ્યુ હતુ. આ શિલાપટમાં પ્રતિમાના નામનો તમિલમાં જે સ્પેલિંગ છે તે ખોટો છે. જો કે કેટલાક લોકોએ આને નકલી ફોટો કહીને તેને ફગાવી દીધો. પરંતુ જ્યારે ગુજરાત સરકારને આના વિશે પૂછવામાં આવ્યુ તો તેમના તરફથી આની પુષ્ટિ કરવામાં આવી અને કહેવામાં આવ્યુ કે હા, શિલાપટ પર નામ ખોટુ લખવામાં આવ્યુ હતુ.

સરકારે આપી સ્પષ્ટતા
સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે અમે આ સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ એક ખાનગી કંપનીને આપ્યુ હતુ. જ્યારે અમને આ વાતની જાણકારી આપવામાં આવી ત્યારે અમે તરત જ શિલાપટને હટાવી દીધો છે. હવે સાચા નામ સાથે ફરીથી શિલાપટને લગાવવામાં આવશે.

કેટલો ખર્ચ?
તમને જણાવી દઈએ કે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં કુલ 2,989 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જેમાં 1,347 પ્રતિમા નિર્માણ પર ખર્ચ થયો છે જ્યારે 235 કરોડ રૂપિયા પ્રદર્શન હોલ અને સભાગાર કેન્દ્ર પર ખર્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાત 657 કરોડ રૂપિયા નિર્માણ કાર્ય પૂરુ થયા બાદ આગામી 15 વર્ષ સુધી પ્રતિમાની જાળવણી માટે ખર્ચ કરવામાં આવશે જ્યારે 83 કરોડ રૂપિયાથી પુલનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
-
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
