ગુજરાત ચુંટણી: આજે પણ સાંપ્રદાયિકતાના મુદ્દે વહેંચાયેલું છે ગોધરા

2002 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે ગોધરાની સીટ પર કોઇ મુસ્લિમ ઉમેદવારે ચુંટણીમાં ઝંપલાવ્યું નથી. શરૂઆતમાં છ મુસ્લિમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ તેમને કોંગ્રેસના ધારાસભ્ય સી. કે રાઉલજી ટેકામાં તેમને પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યાં હતા. ગોધરાના 2.20 લાખ મતદોરોમાં 20 ટકા જેટલા મતદારો મુસ્લિમ સમુદાયના છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. પ્રથમ ચરણના રેકોર્ડબ્રેક મતદાને લોકોની આંખો ફાડી નાંખી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ચાર ગામમાં મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં ગોધરા સળગતી બેઠક માનવામાં આવી રહી છે. અહીં મુસ્લિમ સમુદાયનું સંખ્યાબળ વધારે છે. નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મતો મેળવવા માટે લોભામણી પદ્ધતિ અપનાવી. નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મતોને મેળવવા માટે 'સદભાવના મિશન' દ્રારા પહેલ કરી પરંતુ મુસ્લિમ મતદારો 2002ના રમખાણો ભૂલી શક્યા નથી. અને નરેન્દ્ર મોદીને માફ કરવા માટે તૈયાર નથી.
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દોઢ સો કિલોમીટર દૂર આવેલા ગોધરા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તથા વર્તમાન ધારાસભ્ય સી કે રાઉલજી સાથે આઠ ઉમેદવારોના નસીબનો ફેંસલો થશે. સી કે રાઉલજી ગોધરા વિધાનસભા સીટથી ત્રણ વખત 1990, 1995 અને 2007માં ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. તેઓ ચુંટણીમાં ક્રમશ જનતા દળ, ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યાં છે. જ્યારે ગોધરાની સીટ પરથી ભાજપે સાંસદ પ્રભાતસિંહના પુત્ર પ્રવિણસિંહ ચૌહાણને ટિકીટ આપી છે.
2007માં આ જ બેઠક પર પિતા પ્રભાતસિંહ ચૌહાણની કોંગ્રેસના સી.કે.રાઉલજી સામે હાર થઈ હતી અને 2009ની લોકસભા ચૂંટણીમાં ગોધરા બેઠક પર શંકરસિંહ વાઘેલાને હરાવી પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ગોધરાકાંડ પછી યોજાયેલી 2002ની ચૂંટણીમાં ભાજપે ગોધરા બેઠક પર આયાતી ઉમેદવાર હરેશ ભટ્ટને ટિકીટ આપી હતી. હિન્દુત્વના મોજામાં તેઓ વિજયી થયા હતા.
પાંચ વર્ષ પૂરા થયા બાદ આ બેઠક પર ભાજપને સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારવા આવ્યાં ન હતા. કાલોલ બેઠક પર પ્રભુત્વ ધરાવતા પ્રભાતસિંહ ચૌહાણને ભાજપે 2007માં ગોધરા બેઠક પરથી ટિકીટ ફાળવી હતી. પણ તેઓ હારી ગયા હતા.
પ્રવિણસિંહ ચૌહાણના પિતાને ગોધરા બેઠક પરથી ભાજપે ટિકીટ ફાળવી આપતા પુત્ર પ્રવિણસિંહ ચૌહાણે કાલોલ બેઠક પર ભાજપ સામે અપક્ષ તરીકે ચુંટણી લડ્યાં હતા. પ્રભાતસિંહ ચૌહાણ ગોધરા બેઠક પરથી અને પ્રવિણસિંહ કાલોલ બેઠક પરથી હાર્યા હતા. આમ, પિતા-પુત્ર બંન્નેનો પરાજય થયો હતો. આ વર્ષે ભાજપે પુનઃ સાંસદ પ્રભાતસિંહના પુત્ર પ્રવિણસિંહને ગોધરા બેઠક પર કોંગ્રેસના સી.કે.રાઉલજી સામે મેદાનમાં ઉતાર્યા છે.
સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવિણસિંહ ભૂતકાળમાં દારૂના ગુનાઓમાં ઝડપાયેલ છે. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રવિણસિંહની બુટલેગર તરીકે છાપ હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
