સુરતમાં મકાન ધરાસાયી થતા એક મહિલાનું મોત
સુરતના મકાન અચાનક ધરાસાયી થઇ જતા ઘરમાં રહેતા પરિવારની એક મહિલાનું મોત થયો હતું.
સુરતના નવસારી બજારમાં મોડી રાત્રે જૂનું 3 માળનું મકાન અચાનક ધરાસાયી થઇ જતા ઘરમાં રહેતો ટેલર પરિવારના ચાર સભ્યો દબાઇ ગયા હતા. અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હત. ફાયરની ટીમે કાટમાળ નીચે દબાઇ ગયેલા ટેલર પરિવારને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન એક મહિલાનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે મકાન ધરાસાયી થતા એક જ પરિવારની ત્રણ મહિલા સહિત 4 સભ્યો મકાનના કાટમાળ નીચે દબાયા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ચારેયને બહાર કાઢયા હતા. ૧૦૦ વર્ષ જુનો મકાન ધરાસાયી થતા એક મહિલાનું મોત થયું હતું જયારે 13 વર્ષની બાળકી ગંભીર ઈજાઓ પહોંચી હતી.












Click it and Unblock the Notifications
