હવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ, કમિશ્નર સતીશ શર્માએ કરી ઘોષણા
હવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ
સુરતઃ પોતાના સખ્ત વલણને કારણે ચર્ચામાં રહેનાર પોલીસ કમિશ્નર સતીશ શર્માએ સુરતના પોલીસકર્મીઓ માટે નરમ ફેસલો લઈને સૌને ચોંકાવી દીધઆ છે. તેમણે જાહેરાત કરી કે સુરતના પોલીસકર્મીઓ હવે વીકલી-ઑફ લઈ શકશે. સિપાહીઓ હવે અઠવાડિયામાં એક દિવસ પોતાના પરિજનો સાથે વિતાવી શકશે. સતીશ શર્માએ આ આદેશ પોલીસને પબ્લિક ફ્રેન્ડલી બનાવવાના ઈરાદે જાહેર કર્યો છે.

એટલું જ નહિ, તેમના એક આદેશ મુજબ વિવિધ સ્થળે બેરીકેટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે તેમણે ફેસલો લીધો છે કે અઠવાડિયા દરમિયાન ડ્યૂટી નિભાવ્યા બાદ પોલીસકર્મીને પણ રજા મળવી જરૂરી છે. આના માટે સેવારત પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને અઠવાડિયામાં એક દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું કે દર રવિવારે સ્ટેશન અધિકારીને વીકલી-ઑફ રહેશે અને તે દિવસે પોલીસ સ્ટેશનનો ચાર્જ પોલીસ સ્ટેશનના દ્વિતીય પીઆઈ અથવા સીનિયર પીએસઆઈ સંભાળશે.
પોલીસ ઈન્સ્પેક્ટર અને અન્ય પીઆઈને રોટેશન મુજબ વીકલી-ઑફ મળશે. વીકલી-ઑફ રોટેશન પોલીસ કમિશ્નરની ઑફિસથી જાહેર કરવામાં આવશે. વીકલી-ઑફના દિવસે હેડ ક્વાર્ટર કોઈપણ હાલતમાં છોડી નહિ શકાય. અન્ય કોઈપણ રજાના દિવસને વીકલી-ઑફ સાથે જોડાવામાં આવશે નહિ.
આ પણ વાંચો- સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
