સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ વર્ષ 2014 થી લઈને અત્યારસુધીમાં 838 આતંકીઓને મારી નાખ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ વર્ષ 2014 થી લઈને અત્યારસુધીમાં 838 આતંકીઓને મારી નાખ્યા છે. સંસદમાં સરકારે સવાલનો જવાબ આપતા જણાવ્યું કે તેમની સરકાર આવ્યા પછી ઘાટીમાં કેટલા આતંકીઓને મારી નાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ સેના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018 દરમિયાન પાકિસ્તાન ઘ્વારા છેલ્લા 15 વર્ષોમાં સૌથી વધારે વખત સીઝફાયર ઉલ્લંગન કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું કે છેલ્લા સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 183 નાગરિકોની મૌત થઇ છે.
આ પણ વાંચો: આર્મી ચીફ જનરલ રાવતે કહ્યુ સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓને મળી રહી છે ફંડિંગ

2014 થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધી કુલ 1213 આતંકી ઘટનાઓ થઇ
કેન્દ્રીય મંત્રી હંશરાજ આહીરે સંસદમાં કહ્યું કે 2014 થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધી કુલ 1213 આતંકી ઘટનાઓ થઇ છે, જેમાંથી 838 આતંકવાદીઓની મૌત અને 183 નાગરિકો માર્યા ગયા છે. કેન્દ્રીય મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ દરમિયાન 6 આતંકી ઘટનાઓ દેશના અલગ અલગ ભાગોમાં થઇ છે. જેમાં 11 નાગરિકોની મૌત અને 7 આતંકીઓ માર્યા ગયા છે.

ગયા વર્ષે પાકિસ્તાને 2936 વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું
આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાને સીમા પર સીઝફાયર ઉલ્લંગનની બધી જ હદો પાર કરી નાખી છે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે પાકિસ્તાને 2936 વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે, જેને છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સેનાના એક અધિકારી અનુસાર 2018 દરમિયાન થયેલા સીઝફાયરમાં 61 લોકોની મૌત અને 250 લોકો ઘાયલ થયા છે. તેમને કહ્યું કે વર્ષ 2003 પછી પહેલીવાર ગયા વર્ષે પાકિસ્તાન તરફથી સૌથી વધારે 'હેવી ફાયરિંગ' જોવા મળી.

પાકિસ્તાને ત્રણ ગણા કરતા પણ વધારે વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું
રિપોર્ટ અનુસાર વર્ષ 2017 ની તુલનામાં વર્ષ 2018 દરમિયાન પાકિસ્તાને ત્રણ ગણા કરતા પણ વધારે વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે. વર્ષ 2017 દરમિયાન પાકિસ્તાન તરફથી 971 વાર સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં 31 લોકોની મૌત અને 12 લોકો ઘાયલ થયા હતા. જયારે 19 સુરક્ષાબળોની મૌત અને 151 ઘાયલ થયા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
