લોકો પાસે 21 દિવસ સુધી દંડ નહિ વસૂલે સુરત ટ્રાફિક પોલિસ
કોરોના અનલૉક-2ના આ દિવસોમાં ગુજરાતના સુરતમાં લોકોને ટ્રાફિક પોલિસે રાહત આપી છે.
કોરોના અનલૉક-2ના આ દિવસોમાં ગુજરાતના સુરતમાં લોકોને ટ્રાફિક પોલિસે રાહત આપી છે. પોલિસે નિર્ણય લીધો છે કે આવતા 21 દિવસ સુધી શહેરવાસીઓને ટ્રાફિકનો દંડ વસૂલવામાં આવશે નહિ. ટ્રાફિક પોલિસના ડીસીપી પ્રશાંતે મંગળવારે કહ્યુ કે લૉકડાઉનના કારણે મોટાભાગના લોકોની રોજીરોટી બંધ થઈ ગઈ છે. એવામાં આર્થિક સમસ્યાઓને જોતા અમે નિર્ણય લીધો છે કે હવે લોકો પાસે દંડ વસૂલવામાં આવે પરંતુ તેમને ટ્રાફિકના નિયમોના પાલન માટે જાગૃત કરવામાં આવશે.

ટ્રાફિક પોલિસના ડીસીપી પ્રશાંતે અપીલ કરી કે, 'તે ટ્રાફિક નિયમોનુ પાલન કરે. ઘરમાંંથી નીકળતી વખતે જરૂર પહેરો. નિયમ પાલન દ્વારા અમા્રી મદદ કરો અને જાતે પણ સુરક્ષિત રહો.' આ વખતે ડીસીપીએ એ પણ ઘોષણા કરી કે નિયમોનુ પાલન કરનારને પોલિસ પુરસ્કૃત પણ કરશે.
ડીસીપીએ જણા્વ્યુ કે, 'ટ્રાફિક પોલિસ આવતા 21 દિવસ સુધી વાહનવ્યવહારના નિયમ પાલન માટે એક અભિયાન ચલાવશે. આ અભિયાનને 'I follow' નામ આપવામાં આવ્યુ છે. જે હેઠળ એ લોકોને પુરસ્કૃત કરવામાં આવશે જે ટ્રાફિક નિયમોનુ પાલન સારી રીતે કરી રહ્યા છે. એ સાચુ છે કે તે દંડ નહિ વસૂલે. હા, વાહનચાલકોને મહામારી સામે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનો મેસેજ જરૂર આપશે.' તેમણે જણાવ્યુ કે શહેરવાસીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમે આવતા 21 દિવસ સુધી ટ્રાફિક દંડ ન વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
