Swaminarayan sadhu controversy : સ્વામિનારાયણના વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈનું અપમાન કરતો વીડિયો વાયરલ
Swaminarayan sadhu controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવાના કિસ્સાઓ સતત વધતા જાય છે. માતેલા સાંઢની જેમ આ સાધુઓ હવે મંચ પરથી બીજા દેવી દેવતાઓના સતત અપમાન કરી રહ્યાં છે.
હવે આવો જ એક વધુ વિવાદ મોરબીના હળવદમાં સામે આવ્યો છે. અહીં રણમલપુર ગામે ચાલી રહેલી કથામાં રણજીતગઢ હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ સ્વામીએ ચારણબાઈને લઈને વિવાદિત ટિપ્પણી કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્વામી ચારણદબાઈ માટે અપમાનજનક વાત કરતા જોવા મળી રહ્યાં છે.
વાયરલ વીડિયોમા્ં સ્વામી એક વ્યક્તિના રોગ વિશે વાત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક વ્યક્તિને રોગ થતાં તેના સસરાએ ચારણબાઈ પાસેથી મંત્ર લખેલો પાળો આપ્યો હતો. આ પાળાને દોરામાં બાંધીને સસરાએ જમાઈને પહેરાવ્યો.
આ દરમિયાન સ્વામિનારાયણ ભગવાન દર્શન આપવા આવ્યા પરંતુ ગળામાં પાળો જોયા બાદ પાછા જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે પાળાના કારણે તેઓ પાછા ફરી ગયા અને વ્યક્તિને સલાહ આપી કે તે પાળો દૂર કરી મંદિરમાં આવે, જેથી તેની સમસ્યા દૂર થઈ શકે.
સ્વામીના આ નિવેદનને લઈને લોકોમાં ભારે રોષ છે. ચારણબાઈ વિશે કરાયેલી આ ટિપ્પણી આગળ જતા મોટો વિવાદ સર્જી શકે છે. શાસ્ત્રવિદોએ પણ આ પ્રકારની ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયોને લઈને લોકો સ્વામી વિરુદ્ધ આક્રોશ વ્યકત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુઓએ બીજા દેવી દેવતાઓનું અપમાન કર્યુ હોય. આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવી ચુક્યા છે.
હાલમાં જ જ્ઞાનપ્રસાદ નામના એક સ્વામીએ બફાટ કરતા જલારામ બાપા પર હલકી કક્ષાની ટિપ્પણી કરી હતી, જેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્વામિનારાયણના સાધુઓના આવા બફાટને કારણે લોકોમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. આવા વિવાદિત નિવેદનો ધાર્મિક સમાજમાં વિખવાદ પેદા કરી શકે છે.
આ અંગે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શું સ્પષ્ટતા આપવામાં આવશે અને આ મામલે શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
