સ્વાઇન ફ્લૂના પંજામાં કસાતુ ગુજરાત, 10ના મોત
અમદાવાદ, 6 ફેબ્રુઆરી: હાલમાં ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં સ્વાઇન ફ્લૂ પોતાનો કહેર વર્તાવી રહ્યું છે. રાજ્યમાં રોજ સ્વાઇન ફ્લૂના દર્દીઓ સામે આવી રહ્યા છે, જ્યારે અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર ઓછો થવાના બદલે કે વધુને વધુ વકરી રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં દસ લોકોના મોત થયાની માહિતી મળી છે. સ્વાઇન ફ્લૂના કારણે રાજ્યમાં આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય વિભાગના હવામાં હવાતીયાની વચ્ચે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના વધુ નવા 60 કેસ નોંધાયા છે. બુધવારે એક જ દિવસમાં અમદાવાદમાંથી ત્રણ, વડોદરા અને સુરતમાંથી બે-બે અને કચ્છ અને દાહોદમાંથી એક-એક સહિત દસ વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂના કારણે મોત થવા પામ્યા છે.

અત્રે નોંધનીય છે કે રાજસ્થાનમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે 67 લોકોના મોત થઇ ચૂક્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા અત્રે પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સભાનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદી ધીધો. આ ઉપરાંત ગુજરાતની શાળાઓમાં દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોઢા રૂમાલ બાંધીને વિદ્યાર્થીઓને ભણાવે છે.
સ્વાઇન ફ્લૂના લક્ષણો
- સ્વાઈન ફલૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને " સૂકી ઉધરસ " ), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનો સમાવેશ થાય છે.
- કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી, તથા મજ્જાતંતુવિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે.
- ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, મંજ્જાતંતુવિષયક વણસેલી સ્થિતિવાળાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન), અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિ્તઓનો સમાવેશ થાય છે.
- યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 70 % થી વધુ લોકો સીડીસી અહેવાલ પ્રમાણે આવી સ્થિતિ ધરાવતાં હતા.
પુખ્ત વ્યકિતઓમાં :
- શ્વાસ લેવામાં મૂશ્કેલી કે હાંફ ચઢવો
- છાતી કે પેટમાં દુખાવો કે દબાણ
- અચાનક મૂર્ચ્છા
- ગૂંચવણ
- ભારે અથવા સતત ઊલ્ટી
- ઓછું ઉષ્ણતામાન
બાળકોમાં :
- ઝડપી શ્વાસોચ્છવાસ અથવા શ્વાસ લેવા માટે ભારે મહેનત
- ત્વચાનો રંગ વાદળી
- પૂરતું પ્રવાહી ન પીવાય
- જાગવું નહી કે આંતરક્રિયા ન કરવી
- એટલા ચીઢીયા થઈ જવું કે બાળક તેને ઊંચકવામાં આવે તેમ ઈચ્છે નહીં
- ફલૂ જેવાં લક્ષણોમાં સુધારો થાય, પરંતુ પછી તાવ અને ખરાબ ઉધરસ સાથે પાછાં આવે
- લાલ ચકામા સાથે તાવ
- ખાઈ ન શકાય
- રડે ત્યારે આંસુ ન નીકળે
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
