Tarnetar no melo 2025 : તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળાની શરૂઆત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Tarnetar no melo 2025 : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આવતીકાલથી ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણમાં શરૂ થઈ રહ્યો છે.
ભાદરવા સુદ ચોથથી છઠ સુધી ચાલનારો આ મેળો ૨૬ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરશે.

મુખ્ય આકર્ષણો
- પશુ પ્રદર્શન અને હરીફાઈ : આ મેળામાં પશુ પ્રદર્શન અને વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગ્રામીણ જીવનની ઝલક રજૂ કરશે.
- ગ્રામીણ ઓલિમ્પિક : ૨૦મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં રમતવીરો તેમની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.
- સાંસ્કૃતિક કાર્યક્રમો : મેળામાં લોકનૃત્ય, સંતવાણી, લોકડાયરા, રાસ-ગરબા, અને હુડા જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાશે, જે મેળાની રંગત વધારશે.
- છત્રી હરીફાઈ : તરણેતરના મેળાની ઓળખ સમાન છત્રી હરીફાઈ અને વેશભૂષા હરીફાઈ પણ યોજાશે.
મહત્વના કાર્યક્રમો
૨૬ ઓગસ્ટ (કેવડા ત્રીજ)
- સવારે ૯:૩૦ કલાકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અને જલાભિષેક થશે.
- સાંજે ૯:૩૦ કલાકે વિવિધ રાવટીના ભક્તજનો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
૨૭ ઓગસ્ટ (ગણેશ ચતુર્થી)
- સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પૂ. શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે.
- રાત્રે ૯:૦૦ કલાકે લોકકલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે.
૨૮ ઓગસ્ટ (ઋષિ પંચમી)
- સવારે ૬:૩૦ કલાકે મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી યોજાશે.
- સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
૨૯ ઓગસ્ટ (છઠ)
- સવારે ૭:૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે.
- બપોરે ૧૨:૦૦ કલાકે ધ્વજારોહણ બાદ મેળાની પૂર્ણાહુતિ થશે.
આ ઉપરાંત મેળા દરમિયાન ગુજરાતના પ્રવાસન નિગમ દ્વારા તોરણ ટુરિસ્ટ વિલેજ અને વિવિધ હરીફાઈઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાઓને ઈનામો અપાશે. આ મેળો પાંચાળની પુરાતન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
More From
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
