HCએ કર્યો નિયમોમાં ફેરફાર, ધો. 1થી 5ના શિક્ષકો ધો. 6થી 8ના વિધાર્થીઓને નહી ભણાવી શકે
ગુજરાત રાજ્યમાં્ ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતા હોવાના મામલા સામે આવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ અરજીમાં એવો દાવો કર્યો છેકે સર્કલ આની મંજુરી આપે છે
ગુજરાત રાજ્યમાં્ ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતા હોવાના મામલા સામે આવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ અરજીમાં એવો દાવો કર્યો છેકે સર્કલ આની મંજુરી આપે છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવી શકશે નહી.
હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.1થી 5ના શિક્ષકોને ધોરણ.6થી 8માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. અત્યારસુધીમાં ધોરણ.1થી 8ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો.