દહેગામમાં બની રહેલા અમૃત સરોવરની અચનાક મુલાકાત લેતા મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે કોઈ પણ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ વગર ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરની મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તેમજ ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ દહેગામના હરસોલી ગામની મુલાકાત લઇને ગ્રામજનો સાથે સંવાદ અને ગામમાં માતાજીના મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
મુખ્યમંત્રી તેમના સ્વભાવ અનુસાર ગાંધીનગર તાલુકના દહેગામ અચાનક નિર્માણ થઇ રહેલા અમૃત સરોવરની મુલાકાત લેવા માટે પહોચી ગયા હતા. નિર્ણાણ થઇ રહેલા સરોવરની નિરીક્ષણ કર્યુ હતુ.
મુખ્યમંત્રી ત્યાર બાદ ગામાનો લોકો સાથે ચાય પે ચર્ચા પણ કરી હતી. અને ગ્રામજનો સાથે બેસીને ખુલા મને ચર્ચા કરી હતી. આ પહેલા પણ મુખ્યમંત્રી પોતાના અલગ અલગ જિલ્લા પ્રવાસ દરમિયાન ચાની કિટલી કે ધાબા પર સામાન્ય લોકોની વચ્ચે જઇને ચ્હાની ચૂસકી લેતા જોવા મળ્યા છે.
મુખ્યમંત્રીના આ સ્વભાવને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવ્યા છે. લોકોની વચ્ચે અને જમીન સાથે જોડાયેલા રહે છે.












Click it and Unblock the Notifications
