ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિનાના છેલ્લા શનિવારે એક કલાક સામૂહિક સ્વચ્છતા અભિયાન ચાલશે
ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ લોકો જોવા આવે એવી સ્વચ્છ અને આદર્શ બનાવવા રાજ્યપાલે અનુરોધ કર્યો છે. આના માટે દર મહિનાના છેલ્લા શનિવારે શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
સ્વચ્છતા જ સેવા અભિયાન અંતર્ગત એક તારીખ-એક કલાક-એક સાથ રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહા અભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં એક કલાક સાફ-સફાઈ કરી હતી.

અહીં ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોએ એક કલાક સાફ-સફાઈ કરીને મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ' અર્પણ કરી હતી.
રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિનાના છેલ્લા શનિવારે એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે, સ્વચ્છતા હોય તો વિદ્યાપીઠ જેવી. આદર્શ હો તો વિદ્યાપીઠ જેવા. આ પ્રકારે શ્રમદાન કરવા તેમણે વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોને પ્રોત્સાહિત કર્યા હતા.












Click it and Unblock the Notifications
