જગન્નાથ મંદિર ટ્રસ્ટી અને સરકાર વચ્ચે રથયાત્રા અંગે વિવાદ વધ્યો
ચાલુ વર્ષે રથયાત્રા કાઢવાના મુદ્દે સરકાર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે.
જગન્નાથ મંદિર ટ્રસ્ટીએ રથયાત્રા કાઢવાનો નિર્ણય લઈ સત્તાવાર જાહેરાત પણ કરી દીધી હતી. જો કે મંદિર ટ્રસ્ટી મંડળે આ પહેલા સરકાર સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા સરકાર ખૂબ જ નારાજ છે. ઉચ્ચ અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યુ કે મંદિર ટ્રસ્ટીએ ભલે રથયાત્રા કાઢવાની જાહેરાત કરી પરંતુ અંતિમ નિર્ણય સરકાર જ લેશે. સરકારની નારાજગી પાછળનુ એક કારણ એ છે કે કોરોના મહામારી વચ્ચે રથયાત્રા કાઢવી કે નહિ અને કાઢવી તો કેવી રીતે કાઢવી તે અંગે મંદિર ટ્રસ્ટી મંડળે સરકાર સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કરી જ ન હતી.

જેથી ચાલુ વર્ષે રથયાત્રા કાઢવાના મુદ્દે સરકાર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. કોરોનાની મહામારીના કારણે કોઈ પણ ધર્મ કે સમાજના લોકોને કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો પહેલા સરકારની મંજૂરી લેવી પડે છે. મંદિર ટ્રસ્ટીએ 3 રથ અને 120 ખલાસી ભાઈઓ જોડાશે તેવુ નિવેદન આપ્યુ હતુ પરંતુ કોરોના મહામારી દરમિયાન ચાર માણસોને ભેગા થવા પર પણ પ્રતિબંધ છે. વળી, સોશિયલ ડિસ્ટંસીંગનો પણ પ્રશ્ન છે ત્યારે પ્રભુ ભક્તોને દર્શન કરવા આવતા કોણ રોકશે એ પ્રશ્ન છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
