૧થી ૩૦ સેક્ટરના મળીને અંદાજે ૪૩૦ કિલોમીટર પાઈપલાઈનનુ સેવરેજ નેટવર્ક ગાંધીનગર ધરાવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરના ડ્રેનેજ નેટવર્કના સુવ્યવસ્થિત વ્યવસ્થાપનની જરૂરિયાત ધ્યાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, ગાંધીનગર શહેરની ડ્રેનેજલાઈન નેટવર્કના સંચાલન,મરામત અને નિભાવણીની કામગીરી માર્ગ-મકાન વિભાગને બદલે હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ-૨૦૧૦ માં થઈ તે પહેલાંથી હાલ સુધી આ સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારના માર્ગ મકાન અને પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે.
હાલની વ્યવસ્થા મુજબ ગાંધીનગરના સેક્ટર ૧થી ૩૦ તેમ જ તેમાં સમાવિષ્ટ ૭ ગામો બોરીજ, પાલજ, વાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકળપુરામાં દરરોજ એવરેજ કુલ ૬૬ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે.
આ પાણીનો ઉપયોગ થયા બાદ થતા ડ્રેનેજના પાણીના જથ્થાને રહેવાસીઓના ઘરેથી એકત્રિત કરીને મુખ્ય ડ્રેનેજ પાઈપલાઈન દ્વારા સરગાસણ અને જાસપુરના એસ.ટી.પી.માં યોગ્ય ટ્રિટમેન્ટથી શુદ્ધ કરવા પહોંચાડવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ આશરે ૪૩૦ કિ.મી. લંબાઈની સેવરેજ નેટવર્ક પાઈપલાઈન છે.
ગાંધીનગરમાં વર્તમાન અને ભવિષ્યની ડ્રેનેજ પાણીના નિકાલની જરૂરિયાતોને અનુસરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે માર્ગ-મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં ભૂગર્ભ ગટરના નવિનીકરણની કામગીરી પ્રગતિમાં છે.
આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે.પ્રથમ તબક્કે સેક્ટર ૧૫થી ૩૦ માટે હાઉસ કનેક્શન સાથે તમામ ગ્રેવિટી ડ્રેનેજ નેટવર્ક બદલી નાખવાની તેમ જ સેક્ટર ૧થી ૧૪ માટે રિંગ રોડ સાથે જોડાયેલી મુખ્ય લાઈન સાથે રિંગ રોડના ડ્રેનેજ નેટવર્ક બદલવાની કામગીરી સહિતની વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં ગાંધીનગરના ક, ખ, ગ, ઘ અને ચ રોડમાંથી પસાર થતી મુખ્ય લાઈનમાંથી ડ્રેનેજના પ્રવાહને પસાર કરીને સરગાસણ એસ.ટી.પી. પ્લાન્ટમાં મોકલવા તેમ જ નવા વસેલા સેક્ટરો 1થી 14માં પાઈપલાઈન નાખવાની કામગીરી અને પમ્પિંગ સ્ટેશન સહિત સ્કાડા સિસ્ટમ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
રાજ્યના અન્ય મહાનગરોમા ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી મહાનગર પાલિકાઓ પાસે છે તે જ પ્રમાણે આ ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી પણ હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.
આના પરિણામે ગાંધીનગરમાં ગટર વ્યવસ્થાનું હેન્ડલિંગ મહાનગર પાલિકાને તબદીલ થતાં સિટી સેવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાપન વધુ અસરકારક બનાવીને સેનિટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા સાથે નાગરિકોને સારી સેવા પૂરી પાડી શકાશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
