For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી માટે બેચેની સમાન છે મુસલમાનોનું મૃગજળ

|
Google Oneindia Gujarati News

(ડો. નિરવ શાહ દ્વારા) : આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી વિરુદ્ધન અવાજ બુંલદ હતો. હાં, ગુજરાતના રમખાણો પછી આજે ગોધરા કાંડની 11મી વરસી છે. દુર્ભાગ્યવશ ભવિષ્ય તરફ આગળ વધથી વખતે એ પીડિતોની ચીસો આજે પણ કાનોમાં ગુંજે છે. જો મોદીની ઉપલબ્ધિઓ તરફ દૃષ્ટિ કરવામાં આવે તો વિકાસ બે ભાગોમાં વહેંચાઇ જાય છે- ધર્મનિર્પેક્ષ અને સાંપ્રદાયિક.

કોઇ પણ જો મોદીના ગુજરાત અંગે તર્કસંગત વાત કરે છે તો લોકો કહે છે કે ઉપદેશ આપી રહ્યાં છે અને એક પ્રજાતિ એવી છે, જેણે ભારતીય મુસ્લિમો વચ્ચે એક ભય પેદા કરી દીદો છે. એક ખોટું વાતાવરણ બનાવી દીધું છે મોદી વિરુદ્ધનું. મોદી અંગે વાત કરવામા આવે તો એક મૃગજળ જ મુસલમાનોને દેખાય છે, જ્યારે ખરા અર્થમાં તેવું કઇ નથી અને એ જ કારણ છે કે ગુજરાતના મુખ્યમંત્રી માટે તે બેચેનીનું કારણ બનેલું છે.

narendra-modi-gujarat
આ મૃગજળનું નિર્માણ વિકૃત તથ્યોના આધાર પર કરવામાં આવ્યું છે. એખ સ્પ્રિંગ બોર્ડનો ઉપયોગ કરી ગોધરા રમખાણો બાદ તેને ઉછાળવામાં આવ્યું, પરંતુ આજે તસવીર બદલાય ચૂકી છે. ફર્સ્ટ હેન્ડ ડેવલોપમેન્ટ, શ્રેષ્ઠ શાસન અને સુવિધાઓ પ્રાપ્ત કર્યા બાદ તમામ મુસ્લિમો છે જે ગુજરાતમાં આ વાતનો ભૂલાવી ચૂક્યા છે.

એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે કોણ અને ક્યાં છે જે ભારતીય મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે? આ ભાડુતીઓ, જે આજે આપણી સાથે તો કાલે કોઇ અન્ય સાથે. તેમાં તમે ગેર સરકારી સંગઠનોનું નામ લઇ શકો છો, જેમની પોતાની ભૂમિકા સંદિગ્ધ છે. નેતાઓની વાત કરીએ તો મુસ્લિમ વોટ મેળવવા માટે કંઇપણ કરી શકે છે.

સાચું તો એ છે કે ભારતમાં મુસલમાનો પાસે તેમની જનસંખ્યાથી વધારે પ્રતિનિધિ છે, પરંતુ ભારતીય મુસ્લિમ સમુદાયને કોણ સ્પષ્ટીકૃત કરે છે તે જાણવું જરૂરી છે. ઉત્તર છે મહત્વકાંક્ષા. અન્ય સમુદાયોની જેમ. ભારતીય મુસલમાનોની અનેક મહત્વકાંક્ષાઓ છે, સ્વપ્ન છે અને આશાઓ પણ, પરંતુ આ આકાંક્ષાઓને પીડિત ગણાવીને દબાવી દેવામાં આવે છે. મહત્વકાંક્ષા છે સારી શિક્ષાની, નોકરીની, વ્યવસાયની અને અન્ય કોઇ. આ બધી મહત્વકાંક્ષાઓ વોટબેન્ક પર આવીને અટકી જાય છે.

65 વર્ષ પછી પણ ઘણા વચનો અધૂરા છે. કોંગ્રેસ દાવા કરે છે કે તે મુસ્લિમોના હિત માટે કામ કરે છે. લોકો કહે છે કે મુસ્લિમ વોટ માત્ર કોંગ્રેસના ખાતામાં પડે છે, પરંતુ ગુજરાત વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ પર તમામ વાતો ઠેરની ઠેર રહી ગઇ, જ્યારે મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોમાં મોદીના ઉમેદવાર જીતીને આવ્યા છે. 2012ના વિધાનસભા ચૂંટણીમાં 66 બેઠકો, જ્યાં મુસ્લિમ વસ્તી 10 ટકામાંથી 40 ભાજપને મળી, જ્યાં મુસ્લિમ વસ્તી 15 ટકા હતી, ત્યાં 34માંથી 21 બેઠકો ભાજપે જીતી. જ્યાં મુસ્લિમ આબાદી 20થી 61 ટકા હતી, ત્યાં ભાજપે 9 બેઠકો મેળવી હતી.

જમાલપુર ખાડિયા, વેજલપુર, ભરૂચ, સુરત ઇસ્ટ, વગ્રા અને ભુજ જેવી જગ્યાઓ પર ભાજપની જીત સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતના મુસલમાનોને હવે વિકાસ જોઇએ. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે ગુજરાતના મુસલમાન દેશમાં સૌથી વધારે ઝડપથી આગળ વધે છે. દેશમાં જ્યાં મુસલમાનોનો સાક્ષર દર 59.1 ટકા છે, જ્યાં ગુજરાતમાં આ દર 73.5 ટકા છે. આટલો દર તો ભારતના શહેરી વિસ્તારમાં પણ નથી. આ પ્રકારે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગુજરાતના 69 ટકા મુસલમાન સાક્ષર છે, જ્યારે દેશના ગ્રામીણ વિસ્તારમાં 53 ટકા મુસલમાન સાક્ષર છે.

આર્થિક સ્થિતિની વાત કરીએ તો ગુજરાતના મુસલમાનોની આર્થિક સ્થિતિ ભારતના અન્ય રાજ્યોના મુસલમાનો કરતા વધારે અધિક છે. આ મામલે ગુજરાતે તમામ રાજ્યોને પછાડી દીધા છે. પ્રતિ વ્યક્તિ આવકની વાત કરવામાં આવે તો ગુજરાતના મુસલમાનોની આવક 875 રૂપિયા છે જ્યારે દેશની એવરેજ આવક 804 રૂપિયા છે. આ તમામ વાત સ્પષ્ટ દર્શાવે છે કે મોદીનો વિકાસ કોઇ એક વર્ગ કે સમુદાય માટે નહી, પરંતુ દરેક વ્યક્તિ માટે છે. અંતમાં મોદીનું એક વચન જરૂરથી જણાવવા માંગીશ, સૌનો સાથ, સૌનો વિકાસ.

English summary
It’s that part of the year when Modi bashing will be at it’s peak. Yes, it’s the 11th anniversary of the post Godhra riots. Unfortunately, the silence deserved by the souls of victims will get engulfed in a cacophony of shrill voices fighting for ulterior motives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X