ગોધરામાં ટ્રેન સળગાવનારા 8 આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, હજુ 4 આરોપીઓ જેલમાં
2002 માં ગોધરામાં ટ્રેન સળગાવનારા આરોપીઓને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. 2 ફેબ્રુઆરી 2002 ના રોજ અંજામ અપાયેલી આ ભયાનક ઘટનામાં 59 લોકોના સળગી જવાથી મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાતભરમાં મુસ્લિમો વિરૂદ્ધ હિંસા ફાટી નિકળી હતી અને હજારો લોકોના મોત થયા હતા.
ગોધરાકાંડના આ આરોપીઓ હાલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જામીન અપાયેલા આરોપીઓ 17થી 20 વર્ષ સુધીની સજા કાપી ચુક્યા છે. હાલ કોર્ટે 8 આરોપીઓને જામીન આપવા સાથે વધુ 4 આરોપીઓને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે.

જે આરોપીઓને જામીન નથી અપાયા તે 4 આરોપીઓને નીચલી અદાલતે ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યું કે, જે આરોપીઓને ફાંસીની સજા સંભળાવાઈ છે તે સિવાયના આરોપીઓને જામીન આપી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, આ ચાર આરોપીઓ પાસે ખતરનાક હથિયારો પણ હતા.
ગોધરાકાંડના આઠ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. કોર્ટે આ દોષિતોને 17-18 વર્ષ જેલમાં વિતાવ્યા હોવાના આધારે જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, તમામ દોષિતોએ 17 થી 18 વર્ષ જેલમાં વિતાવ્યા છે તેથી તેમને હાલ જામીન આપી શકાય.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
