રામ લલ્લાને 11 કરોડનો મુગટ આપનાર પરિવાર કોણ છે? બિઝનેસ જાણીને ચોંકી જશો
Ram Lalla Idol: અયોધ્યામાં રામ મંદિરના રામલલ્લાની મૂર્તિની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. રામ લલ્લાની જ્વેલરી હોય કે તેમની પીળી ધોતી, બધું જ લોકોના મનને મોહિત કરે છે. ભગવાન રામની જ્વેલરી બનાવવામાં 15 કિલો સોનું અને લગભગ 18 હજાર હીરા અને નીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સોનાના દાગીનામાં કુલ 14 નંગ છે, જેમાં મુગટ, 4 નેકલેસ, કમરબંધ, બે વીંટી, વિજય માળા, બે જોડી પાયલનો સમાવેશ થાય છે. આ તમામ ઘરેણા માત્ર 12 દિવસમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ જ્વેલરીમાં સૌથી વધુ ચર્ચિત વસ્તુ તાજ છે, જેની કિંમત 11 કરોડ રૂપિયા છે. ચાલો જાણીએ આ 11 કરોડનો તાજ કોણે આપ્યો છે?

ગુજરાતી પરિવારે આપ્યો 11 કરોડનો મુગટ
ગુજરાતના સુરતના એક હીરાના વેપારીએ રામ મંદિરમાં સ્થાપિત રામ લલ્લાની મૂર્તિ માટે 11 કરોડ રૂપિયાનો મુગટ દાનમાં આપ્યો છે. સુરતમાં ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક મુકેશ પટેલે 11 કરોડનું દાન આપ્યું છે. આ મુગટમાં 6 કિલોગ્રામ સોનું છે, જેમાં હીરા અને કિંમતી રત્નો પણ જડેલા છે. ડાયમંડ બિઝનેસમેન મુકેશ પટેલ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક છે અને કરોડપતિ બિઝનેસમેન છે. તેમની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે.
હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ તાજ અર્પણ કરવા માટે અભિષેક સમારોહના એક દિવસ પહેલા તેમના સમગ્ર પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા હતા. જે બાદ 22 જાન્યુઆરીએ રામલલ્લાને મુગટ પહેરાવવામાં આવ્યો હતો. હીરાના વેપારી મુકેશ પટેલે કંપનીના બે કર્મચારીઓને રામલલ્લાની મૂર્તિનો મુગટ માપવા માટે અયોધ્યા મોકલ્યા હતા. માપણી કર્યા બાદ મજૂરો સુરત આવ્યા અને મુગટ બનાવવાનું કામ શરૂ કર્યું હતુ.












Click it and Unblock the Notifications
