આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી, 21 જુલાઇના રોજ આવશે પરીણામ
દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ રહી છે તેમા ગુજરતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતુ. આ સાથે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો પણ મતદાન કરવા આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રામસિહ રાઠવાએ પણ ચૂંટણીમા
દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ રહી છે તેમા ગુજરતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતુ. આ સાથે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો પણ મતદાન કરવા આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રામસિહ રાઠવાએ પણ ચૂંટણીમાં મતદાન કર્યું હતુ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ છે જ્યારે યૂપીએના ઉમેદવાર જશવંત સિન્હા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરીણામં 25 જુલાઇના રોજ આવશે.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે જેમાથી ત્રણ બેઠકો ખાલી છે. જ્યારે એક બેઠક પર સૂપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી તે મતદાન નહી કરી શકે. ગુજરાત વિધાનસભાની ભાજપના 111, ધારાસભ્યો, કંગ્રેસના 63 ધારાસભ્યો, એનસીપી 1 બીટીપી 2 અને એક અપક્ષ ધારાસભ્ય આમ કુલ મળીને 177 ધારાસભ્યો મતદાન કરશે.
ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાનનની પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી ચાલશે. અત્યાર સધીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુ્ખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ મતદાન કરી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઇ જ પ્રકારનો વ્હીપ નથી હોતો ધારાસભ્યો અને સાસંદ સભ્યો પોતાની રીતે સ્વતંત્ર થઇને મતદાન કરી શકે છે. અને વિસ્તાની આધારે તેના મતનું મુલ્ય નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ગણતરીમાં લેવામાં આવે છે. ગુજરાતના ધારાસભ્યોના મતોનું મૂલ્યો 147 છે જ્યારે સાંસદ સભ્યોના મતોનું મૂલ્ય 700 છે.
એનડીએના ઉમેદવારને ભાજપ સિવાયના BSP,YSRCP,TDP, BJPD, AIDMKJMM અને શિવસેના સહિનાત પક્ષો ટેકા જાહેર કર્યો હોવાથી તે બે તૃતિયાંશ બહુમતી નજીક હોવાથી તેમની જીત નક્કી માનવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
