આજે ખગોળપ્રેમીઓને રાજકોટમાં સ્પેસ સ્ટેશન નિહાળવાનો લ્હાવો

આજે એટલે કે 29 એપ્રિલ, 2013ના રોજ આ સ્પેસ સ્ટેશન રાજકોટના આકાશ પરથી પસાર થવાનું હોવાથી ખગોળપ્રેમીઓ દ્વારા આ સ્પેસ સ્ટેશન નિહાળવા માટે ઠેર - ઠેર આયોજનો ગોઠવાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આકાશમાં છેલ્લા ત્રણ દિવસથી જાણીતા અવકાશ યાત્રી સુનિતા વિલીયમ્સ દ્વારા આકાશમાં તરતુ મુકવામાં આવેલા સ્પેસ સ્ટેશનના દર્શન થઇ રહ્યા હોવાનો દાવો રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે 29 એપ્રિલ આ સ્પેસ સ્ટેશન નરી આંખે નિહાળવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. કારણ કે આ દિવસે રાત્રિના 8.11.46 કલાકથી 8.16.29 એટલે કે સળંગ પાંચ મીનીટથી વધુ સમય સુધી દક્ષિણ-પૂર્વ દિશામાં જમીનથી 82 ડિગ્રીની ઉંચાઇએ જોવા મળશે.
આ વિગતોના સંદર્ભમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આયોજન થયા છે તે અંગે લોક વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે કે પૃથ્વીની આસપાસ હજારોની સંખ્યામાં કૃત્રિમ ઉપગ્રહો ફરે છે જેમાંથી કેટલાક ઉપગ્રહ દૂર સંચાર માટે છે, કેટલાક લશ્કરના કામ માટેના છે. આ ઉપગ્રહ શહેરી વિસ્તારથી દૂર મોડી સાંજે અથવા રાત્રિના સમય દરમિયાન આકાશમાં વિહરતા જોવા મળે છે. આ જ પ્રકારના ઉપગ્રહ સ્વરૂપે જે સ્પેશ સ્ટેશન જાણીતા અવકાશયાત્રી સુનિતા વિલીયમ્સ દ્વારા અવકાશમાં તરતુ મુકવામાં આવ્યું છે તે 29 એપ્રિલના રોજ આકાશમાં રાત્રિના 8.11 કલાકે જોવા મળશે, જે નિહાળવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર સહિતના અન્ય સ્થળોએ ખગોળ રસિકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
