ગુજરાતના 8 આઈપીએસ અધિકારીઓ બદલાયા? જુઓ લિસ્ટ
ગુજરાતમાં 8 જેટલા આઈપીએલ અધિકારીઓની બદલી કરાઈ છે. આ લિસ્ટમાં રાજકોટ અગ્નિકાંડ બાદ વેઈટિંગમાં મુકાયેલા રાજુ ભાર્ગવનું નામ પણ છે.
રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને પોસ્ટીંગ અપાયુ છે. રાજકોટથી ખૌફનામ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજૂ ભાર્ગવને વેઈટીંગમાં મુકી દેવાયા હતા. હવે રાજૂ ભાર્ગવને આર્મ્ડ ફોર્સના ડીજી બનાવાયા છે.

આ સિવાય વિકાસ સુંદાને દાહોદ ખાતે એસઆરપી-4ના સુપ્રીટેનડન્ડ તરીકે મુકાયા છે. રાઘવ જૈનને રાજકોટ સેન્ટ્રલ જેલના એસપી બનાવાયા છે.
જે.એમ અગ્રવાલને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-1ના એસપી તરીકેની જવાબદારી સોંપાઇ છે. નિધી ઠાકુરને બરોડા સેન્ટ્રલ જેલમાં એસપી તરીકે નિયુક્ત કરાયા છે.
આ સિવાય સિદ્ધાર્થની રાજભવનમાં બદલી કરાઇ છે. જે.એ. પટેલને SCRB તરીકે આપવામાં ગાંધીનગરમાં જવાબદારી સોંપાઇ છે.












Click it and Unblock the Notifications
