અંડર કરંટ ભાજપની વિરુદ્ધમાં છે : શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાએ કપડવંજ બેઠક પરથી ફોર્મ ભર્યું
કોંગીના અગ્રણી નરહરિ અમીનની નારાજગી વિષે તેઓએ "ઘી ના ઠામમાં ઘી પડી રહેશે"તેમ જણાવીને સમાધાન થશે અને મણીનગરની બેઠક ઉપરથી શ્વેતા ભટ્ટના કોંગી દ્વારા ઉમેદવારીપત્ર ભરવા અંગેના પ્રશ્નોમાં "અબળા" હવે "પ્રબળા" બને તેમાં કશું ખોટું નથી તેમ જણાવીને અન્યાય સામે લડવા અનુરોધ કર્યો હતો.
કપડવંજ-કઠલાલના કોંગીના સંભવીત ઉમેદવારો મણીભાઈ પટેલ, કાળુસિંહ ડાભી તથા રાજેશ ઝાલાનું પણ તેઓની ઉમેદવારી રીતે સમર્થન છે તેમ જણાવીને તેઓનો બાપુ આભાર માન્યો હતો. કોંગીના ચૂંટણી ઢંઢેરાનો અમલ સરકાર બનાવ્યા બાદ ફટાફ અને ટનાટન થશે તેમ લોકોને ખાત્રી આપી હતી. ગુજરાતમાં મારો પ્રવાસ થાય છે તેમાં અંડર કરંટ ભાજપની વિરૂધ્ધમાં છે સરકારના ભ્રષ્ટ મંત્રીઓ છે જેમાંના ૮૦ ટકા મંત્રીઓ તેમને કરેલા કુકર્મો અને ભ્રષ્ટાચારને લીધે હારશે. પત્રકારોના પ્રશ્નોના પ્રત્યુત્તરોમાં બાપુએ ગુજરાત સરકારના વર્તમાન શાસનને કે.લાલની માયાજાળ સાથે સરખાવ્યું હતું.