Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કલોલમાં ફેલાયેલો કોલેરાનો રોગચાળો સત્વરે નાથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી.

રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે વાતચીત કરી, આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને અમિતભાઇ શાહે સૂચના આપી.

amit shah

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી કલોલ ખાતે પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા છે. આ બાબતે શ્રી અમિતભાઇ શાહે પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X