બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે 35 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો
વડોદરામાં એક અકસ્માતના કારણે બે જૂથો વચ્ચે અથડામણ થતા પોલીસે ગુનો નોંધ્યો છે
વડોદરાઃ વડોદરા શહેરમાં સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે ગત રોજ મોડી રાત્રે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ખારવાવાડ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ લગ્નમાં બોલાચાલી થતા મામલો બિચકયો હતો. બંને સમાજના જૂથ સામ સામે આવી ગયા હતા. બંને જૂથોએ એક બીજા પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો જેથી સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને થતા નવાપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિને કાબુમાં લીધી હતી.
જોકે મોડેથી પોલીસનો કાફલો ખડકાઈ દેવાયો હતો. અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરનાં નવાપુરા વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથ સામ સામે આવી જતા મામલો બીચકયો હતો બંને જૂથોએ એક બીજા પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. અસામાજિક તત્વો પોલીસ ચોકીનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. વડોદરા શહેરમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. આજે નવાપુરા પોલીસ સ્ટેશન બંને પક્ષોએ ક્રોસ ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૫ લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
{promotion-urls}