મોદી સરકારને ઉખાડી ફેંકો, વાઘેલાની શિક્ષકોને અપીલ

આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરહરી અમિન સહિત ગુજરાત યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
વાઘેલાએ કહ્યું કે, રાજકારણમાં શિક્ષકોની કોમ્યિુનિટીને પક્ષ રાજકારણમાં ઉમેરી શકે નહીં, તેવી જ રીતે જે વ્યક્તિ ખોટું કરતો હોય તેને રોકવો પણ જોઇએ. જો તમને લાગતું હોય કે છેલ્લા 10-12 વર્ષોમાં હાલની રાજ્ય સરકારે એજ્યુકેશન ક્ષેત્રે સારું કામ કર્યું ના હોય તો પછી તમારે એ ભાજપ સરકારને ઉખેડીને ફેંકી દેવી જોઇએ.
મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના ઉદાહરણ આપીને વાઘેલાએ કહ્યું કે, હવે શિક્ષકોએ સરકાર દ્વારા કરવામા આવેલા ખોટા કામોનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે અને રાજ્યમાં ક્રાંતિ લાવવાની છે.












Click it and Unblock the Notifications
