સ્ટેચ્યુ ઑફ યુનિટીથી PM મોદીઃ કોરોનાથી મોટા દેશો હારી ગયા, ભારતીયોની એકતાએ સામનો કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના પ્રસંગે તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીથી દેશનો સંબોધિત કર્યા.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના પ્રસંગે તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીથી દેશનો સંબોધિત કર્યા. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મોદીએ પોતાના ભાષણની શરૂઆત સુબ્રમણ્યમ ભારતીની પંક્તિઓથી કરી. મોદીએ કહ્યુ કે તમિલનાડુમાં જન્મેલા મહાન કવિ ગાતા હતા - 'યહ હે ભારત દેશ હમારા..આગે કોન જગતમે હમસે, યહ હે ભારત દેશ હમારા... મહારથી કઈ હુએ જહાં પર, યહ હે દેશ મહી કા સ્વર્ણિમ, ઋષિઓને તપ કિએ જહાં પર, યહ હે દેશ જહાં નારદ કે, ગુંજે મધુમય ગાન કભી થે, યહ હે દેશ જહાં પર બનતે, સર્વોત્તમ સામાન સભી થે.'

130 કરોડ ભારતીયોની એકતાએ કોરોનાનો સામનો કર્યો
પ્રધાનમંત્રીએ કોરોનાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે, 'કોરોનાની વિપત્તિ અચાનક આવી. તેણે આખા વિશ્વને પ્રભાવિત કર્યુ પરંતુ ભારતે જે કર્યુ તે અભૂતપૂર્વ છે. જે મહામારીએ દુનિયાના મોટા મોટા દેશોને પરાસ્ત કરી દીધા પરંતુ 130 કરોડ ભારતીયોની એકતાએ તેનો સામનો કર્યો. આપણા સૌની એકતા કોરોનાના સંકટકાળમાં સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમની રાહ પર ચાલીને દેશે ઘણા એવા કામ કર્યા છે જે ક્યારેક મુશ્કેલ માની લેવામાં આવ્યા હતા. અમે કલમ 370 હટાવવાનો સંકલ્પ પૂરો કર્યો. સરદાર પટેલે 31 ઓક્ટોબરે જ આનો ઉલ્લેખ કર્યો હતો. તે આ નહોતા ઈચ્છતા માટે અમે તેમનુ કાર્ય પૂરુ કર્યુ.'

દેશ રક્ષાના બધા ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યો છે
પીએમ મોદીએ કહ્યુ - 'દેશ ભવ્ય મંદિર બનતા પણ જોઈ રહ્યો છે. અમે એક એવા દેશનુ નિર્માણ કરી રહ્યા છે જેમાં બધા સમાન પણ હોય, સશક્ત પણ હોય. સરદાર પટેલ કહેતા હતા કે ખેડૂત, મજૂર, ગરીબ સશક્ત થશે ત્યારે તે આત્મનિર્ભર બનશે. તો આપણે આત્મનિર્ભર દેશ જ બનાવીશુ. જો પોતાની પ્રગતિ સાથે સાથે પોતાની સુરક્ષા માટે પણ આશ્વસ્ત રહી શકે છે. આજે દેશ રક્ષાના બધા ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યો છે.'

ભારતીય સેના આતંકીઓ સામે હંમેશા લડતી રહેશે
આતંકવાદ પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે, 'આજે દુનિયાના બધા દેશોએ આતંકવાદ સામે એક થવાની જરૂર છે. આતંકવાદ અને હિંસાથી કોઈને ફાયદો નહિ થઈ શકે. ભારતે હંમેશા આતંકવાદ સામે લડાઈ લડી છે. ભારતીય સેના આતંકીઓ સામે હંમેશા લડતી રહેશે.' પુલવામા હુમલા વિશે પીએમ મોદીએ કહ્યુ કે, 'દેશ એ ક્યારેય નહિ ભૂલી શકે કે પુલવામા હુમલા દરમિયાન સુરક્ષાકર્મીઓના બલિદાન પર અમુક લોકો દુઃખી નહોતા. એ સમયે, આ લોકો માત્ર રાજનીતિ કરી રહ્યા હતા. હું તેમને રાષ્ટ્રના હિતમાં રાજનીતિ ન કરવાનો અનુરોધ કરુ છુ.' વળી, તેમણે કહ્યુ કે 'આજે કાશ્મીર વિકાસની નવી રાહ પર ચાલી નીકળ્યુ છે.. ભલે તે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવા માટે હોય કે ત્યાંના વિકાસ માટે ઉઠાવવામાં આવી રહેલ પગલાં, આજે દેશ એકતાના નવા આયામ સ્થાપિત કરી રહ્યો છે.'
#WATCH Live from Kevadia, Gujarat: PM Modi at Statue of Unity on birth anniversary of Sardar Vallabhbhai Patel (source: DD) https://t.co/dIvvuo4LmU
— ANI (@ANI) October 31, 2020
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ












Click it and Unblock the Notifications
