ખરા ભારતનું નિર્માણ વિકાસવાદથી જ શક્ય : મોદી

આજે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળના 4000 દિવસો પૂરા થવા અંગે તેમણે જણાવ્યું કે 'મને 4000 દિવસ સુધી અખંડ રીતે મુખ્યમંત્રી પદ પર કાર્ય કરવાની તક મળી. ગુજરાતમાં ક્યારેય આટલી લાંબી રાજકીય સ્થિરતા રહી નથી. સ્થિરતાને કારણે હિંમતભર્યા નિર્ણયો લેવાનું બળ મળ્યું છે. 4000 દિવસમાં ગુજરાતે વિકાસની જે ઊંચાઇ પ્રાપ્ત કરી છે તેનો શ્રેય મને નહીં, 6 કરોડ ગુજરાતીઓને જાય છે.'
પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે દરેક બાબતને ચૂંટણીના ત્રાજવે તોલવાની પ્રવૃત્તિ નુકસાનકારક છે. સારા કાર્યો કરનારને પ્રજા સારી રીતે ઓળખે છે. આવનારા દિવસોમાં ગમે તેવો ગરમાવો આવે, તેમ છતાં સરપંચો પોતાના ગામમાં સુમેળ અને સંપથી કામને આગળ વધારે એવી અપેક્ષા છે.
મોદી એ કહ્યું કે સરપંચોને કહેવા માંગુ છું કે તમને એમ થતું હોય તે ગામમાં સારા રસ્તા, ગટર જોડાણ, વીજળી, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ક્યાંથી હોય? આ તો મોદી સાહેબે કર્યું છે. પણ મને આટલાથી સંતોષ નથી. આ તો મેં હજી સુધી છેલ્લાં દાયકાઓમાં બાકી રહી ગયેલા ખાડા પૂરવાનું કામ કર્યું છે. આ જાન્યુઆરીમાં હું નવું કામ શરૂ કરીશ જેનાથી ભવ્ય અને દિવ્ય ગુજરાતનું સર્જન થશે.
અત્યાર સુધીમાં વિશ્વમાં બધા જ વાદ આવી ગયા છે પણ ખરા ભારતનું નિર્માણ વિકાસવાદથી જ થઇ શકશે. 'સર્વ જન હિતાય, સર્વ જન સુખાય'થી જ આપણે આગળ વધવું છે. ગુજરાતને નવી ઊંચાઇએ સાથે મળીને લઇ જઇશું. પંચાયતી રાજની ઉજવણી તમારી રીતે અને લોક શિક્ષણના કામથી કરવી જોઇએ. પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા અને લોકભાગીદારી વધે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
