લોકશાહીનો પર્વઃ નવસારીના ગામો-ગામ મતદાન જાગૃતિ અભિયાન ચલાવાશે
આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ફાળવાયેલી મોબાઈલ નિદર્શન વાન નવસારી જિલ્લાના ગામોમાં ફરી નાગરિકોમાં જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. તારીખ ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી નવસારી જિલ્લાના ૭૨ ગામોમાં મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ફરીને નાગરિકોને ચુંટણી સંદર્ભે જાગૃત કરી રહી છે.

નવસારી જિલ્લા સેવાસદન ખાતે પણ મતદાન અંગેનો જાગૃતિ માટે ઈ.વી.એમ નિદર્શન કાર્યક્રમ થકી ઇવીએમ અને વીવીપેટ દ્વારા વોટ કેવી રીતે આપવાથી લઈને ઇવીએમ કેવા પ્રકારે સુરક્ષિત છે તેની તમામ જાણકારી નાગરિકોને આપવામાં આવી રહ્યું છે. તાલુકાકક્ષાએ તેમજ ગ્રામ પંચાયતોમાં પણ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી થકી નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની જાણકારી ઈન્સ્ટ્રક્ટર ઓ દ્વારા આપવામાં આવી રહી છે. નાગરિકો દ્વારા આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
