અમદાવાદમાં વાતાવરણમાં એકાએક પલટો, છવાયા વાદળો
અમદાવાદમાં વાતાવરણમાં એકાએક પલટોશિયાળામાં છવાયા વાદળોઆ અંગે વધુ વાંચો અહીં...
અમદાવાદના હવામાનમાં ગત રાત્રિથી એકાએક પલટો નોંધાયો છે અને આજે સવારથી શહેરમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, તેમજ અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડીનો ચમકારો પણ વધ્યો હતો. અમદાવાદની આસપાસ, ધોળકા, બાવળા, ભાત બદરખામાં વધારે પ્રમાણમાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોએ માવઠું થવાની ભિતી પણ સેવી હતી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગે આ અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ સુધી શહેરમાં વાદળછાયો માહોલ જોવા મળશે, તેમજ શહેરનું મહત્તમ તાપમાન 28 થી 31 ડિગ્રી સુધીનું તેમજ લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહી શકે છે. તો રાજકોટ,સુરત, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અને આસપાસના વિસ્તારોમાં 6 ડિસેમ્બર બાદ વાતાવરણ એકમદમ વાદળછાયુ થતા ઠંડીમાં વધારો થશે.












Click it and Unblock the Notifications
