પાટણમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
રાજ્યના દરેક જિલ્લામાં દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગામ્ય સ્તરના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ મળતી હોય છે.
રાજ્યના દરેક જિલ્લામાં દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગામ્ય સ્તરના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ મળતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતા આ કાર્યક્રમ હેઠળ પાટણ જિલ્લામાં જાન્યુઆરી થી ઓગષ્ટ સુધી કુલ 148 અરજીઓ મળી હતી. જેમાંથી તમામ 148 અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. તો આ તરફ તાલુકા કક્ષાએ 187 અરજીઓ મળી હતી. જેમાંથી 182 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

જિલ્લા-તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની જેમ રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં નાગરિકોની અરજીઓ સીધી મુખ્યમંત્રીને મળતી હોય છે. પ્રશ્નોની અરજીઓ મળ્યા બાદ રાજ્યસ્તરે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જિલ્લાની રાજ્યકક્ષાએ કુલ 18 જેટલી અરજીઓ મળી હતી. જે અંતર્ગત તમામ 18 અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આ તરફ લોકફરિયાદ હેઠળ ચાલુ વર્ષે 49 જેટલી અરજીઓ મળ્યા બાદ તમામ 49 અરજીઓનો હકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હોવાથી પ્રજાજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા અધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
