Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાટણમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ

રાજ્યના દરેક જિલ્લામાં દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગામ્ય સ્તરના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ મળતી હોય છે.

રાજ્યના દરેક જિલ્લામાં દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગામ્ય સ્તરના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ મળતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતા આ કાર્યક્રમ હેઠળ પાટણ જિલ્લામાં જાન્યુઆરી થી ઓગષ્ટ સુધી કુલ 148 અરજીઓ મળી હતી. જેમાંથી તમામ 148 અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. તો આ તરફ તાલુકા કક્ષાએ 187 અરજીઓ મળી હતી. જેમાંથી 182 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

Patan

જિલ્લા-તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની જેમ રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં નાગરિકોની અરજીઓ સીધી મુખ્યમંત્રીને મળતી હોય છે. પ્રશ્નોની અરજીઓ મળ્યા બાદ રાજ્યસ્તરે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જિલ્લાની રાજ્યકક્ષાએ કુલ 18 જેટલી અરજીઓ મળી હતી. જે અંતર્ગત તમામ 18 અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આ તરફ લોકફરિયાદ હેઠળ ચાલુ વર્ષે 49 જેટલી અરજીઓ મળ્યા બાદ તમામ 49 અરજીઓનો હકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હોવાથી પ્રજાજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા અધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X