પાટણમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
રાજ્યના દરેક જિલ્લામાં દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગામ્ય સ્તરના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ મળતી હોય છે.
રાજ્યના
દરેક
જિલ્લામાં
દર
મહિને
સ્વાગત
ફરિયાદ
નિવારણ
કાર્યક્રમ
રાખવામાં
આવે
છે.
જેમાં
ગામ્ય
સ્તરના
વિવિધ
પ્રશ્નોને
લઈને
અરજીઓ
મળતી
હોય
છે.
રાજ્ય
સરકાર
દ્વારા
ચાલતા
આ
કાર્યક્રમ
હેઠળ
પાટણ
જિલ્લામાં
જાન્યુઆરી
થી
ઓગષ્ટ
સુધી
કુલ
148
અરજીઓ
મળી
હતી.
જેમાંથી
તમામ
148
અરજીઓનો
હકારાત્મક
રીતે
નિકાલ
કરવામાં
આવ્યો
છે.
તો
આ
તરફ
તાલુકા
કક્ષાએ
187
અરજીઓ
મળી
હતી.
જેમાંથી
182
અરજીઓનો
હકારાત્મક
નિકાલ
કરવામાં
આવ્યો
છે.
જિલ્લા-તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની જેમ રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં નાગરિકોની અરજીઓ સીધી મુખ્યમંત્રીને મળતી હોય છે. પ્રશ્નોની અરજીઓ મળ્યા બાદ રાજ્યસ્તરે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જિલ્લાની રાજ્યકક્ષાએ કુલ 18 જેટલી અરજીઓ મળી હતી. જે અંતર્ગત તમામ 18 અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આ તરફ લોકફરિયાદ હેઠળ ચાલુ વર્ષે 49 જેટલી અરજીઓ મળ્યા બાદ તમામ 49 અરજીઓનો હકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હોવાથી પ્રજાજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા અધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.