ગમે તેનું નેતૃત્વ હોય, 2022 માં ભાજપની વિદાય નિશ્ચિત- લલિત કગથરા
સ્વતંત્રતા દિવસે સી આર પાટીલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે છેલ્લા 5 વર્ષમાં સારૂ કામ કર્યુ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેંમની આગેવાનીમાં જ લડાશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજનીતિ દિવસે દિવસે ગરમાઈ રહી છે. ભાજપના ગુજરાત અધ્યક્ષના નિવેદન બાદક કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. કગથરાએ કહ્યું છે કે ભાજપ 2022 માં ગમે તેના નેતૃત્વમાં ચૂંટણી લડે અમને કોઈ ફર્ક પડતો નથી.

સ્વતંત્રતા દિવસે સી આર પાટીલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે છેલ્લા 5 વર્ષમાં સારૂ કામ કર્યુ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેંમની આગેવાનીમાં જ લડાશે. આ નિવેદન બાદ કોંગ્રેસ ભાજપ પર હમલાવર થયુ છે અને કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. લલિત કગથરાએ પ્રહાર કરતા કહ્યું છે કે 2022 માં ગુજરાતમાંથી ભાજપની વિદાય નિશ્ચિત છે. ભાજપ કોની આગેવાનીમાં ચૂંટણી લડે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. આ ઉપરાંત નેતૃત્વના સવાલને લઈને કગથરાએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસનો દરેક કાર્યકર્તાની આગેવાનીમાં ચૂંટણી લડાશે.
ઉલ્લેખનિય છે કે સી આર પાટીલે સ્વતંત્રતા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાતમાં વર્તમાન ભાજપે 5 વર્ષ સારી કામગીરી કરી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત અફવા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે સારૂ કામ કરતા આગામી 2022 વિધાનસભાની ચૂંટણી પણ આ બે નેતાઓની આગેવાનીમાં જ લડાશે. જે બાદ કગથરાએ જવાબ આપતા આમ જણાવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
