ગમે તેનું નેતૃત્વ હોય, 2022 માં ભાજપની વિદાય નિશ્ચિત- લલિત કગથરા
સ્વતંત્રતા દિવસે સી આર પાટીલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે છેલ્લા 5 વર્ષમાં સારૂ કામ કર્યુ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેંમની આગેવાનીમાં જ લડાશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજનીતિ દિવસે દિવસે ગરમાઈ રહી છે. ભાજપના ગુજરાત અધ્યક્ષના નિવેદન બાદક કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. કગથરાએ કહ્યું છે કે ભાજપ 2022 માં ગમે તેના નેતૃત્વમાં ચૂંટણી લડે અમને કોઈ ફર્ક પડતો નથી.

સ્વતંત્રતા દિવસે સી આર પાટીલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે છેલ્લા 5 વર્ષમાં સારૂ કામ કર્યુ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેંમની આગેવાનીમાં જ લડાશે. આ નિવેદન બાદ કોંગ્રેસ ભાજપ પર હમલાવર થયુ છે અને કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. લલિત કગથરાએ પ્રહાર કરતા કહ્યું છે કે 2022 માં ગુજરાતમાંથી ભાજપની વિદાય નિશ્ચિત છે. ભાજપ કોની આગેવાનીમાં ચૂંટણી લડે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. આ ઉપરાંત નેતૃત્વના સવાલને લઈને કગથરાએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસનો દરેક કાર્યકર્તાની આગેવાનીમાં ચૂંટણી લડાશે.
ઉલ્લેખનિય છે કે સી આર પાટીલે સ્વતંત્રતા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાતમાં વર્તમાન ભાજપે 5 વર્ષ સારી કામગીરી કરી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત અફવા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે સારૂ કામ કરતા આગામી 2022 વિધાનસભાની ચૂંટણી પણ આ બે નેતાઓની આગેવાનીમાં જ લડાશે. જે બાદ કગથરાએ જવાબ આપતા આમ જણાવ્યુ હતુ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
