ગુજરાતના લોકો ક્યાં મુદ્દે મતદાન કરશે? જાણો શું કહે છે ABP-C Voter સર્વે?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષો મતદાતાઓને રિઝવવા માટે મેદાને ઉતર્યા છે ત્યારે વિવિધ મુદ્દે રાજનીતિ થઈ રહી છે. તમામ ઘટનાઓ વચ્ચે એબીપી-સી વોટર સર્વેમાં મુદ્દાને લઈને સર્વે સામે આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષો મતદાતાઓને રિઝવવા માટે મેદાને ઉતર્યા છે ત્યારે વિવિધ મુદ્દે રાજનીતિ થઈ રહી છે. તમામ ઘટનાઓ વચ્ચે એબીપી-સી વોટર સર્વેમાં મુદ્દાને લઈને સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં મતદાતાઓને પુછવામાં આવ્યુ હતું કે તેઓ ક્યાં મુદ્દે મત આપશે? આ સવાલના ચૌકાવનારા જવાબ મળ્યા છે.
એક તરફ આમ આદમી પાર્ટીના મોટા વાયદાઓ તો બીજેપી કાર્પેટ બોમ્બિંગ દ્વારા માહોલ બનાવવાની કોશિષ રહી છે ત્યારે આ સર્વેમાં ચૌકાવનારા તારણો સામે આવ્યા છે.
એબીપી-સી વોટર સર્વે અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં મોટા ભાગના લોકો વિકાસને મોટો મુદ્દો માની રહ્યા છે. સર્વે અનુસાર, 14 ટકા લોકો ધર્મના આધારે, 14 ટકા જનતા જાતિના આધારે મતદાન કરશે. ગુજરાતના 33 ટકા લોકો વિકાસના આધારે મતદાન કરશે. આ સિવાય 26 ટકા લોકો મોદીના નામે મત આપશે. બાકીના 13 ટકા લોકો અન્ય મુદ્દા પર વોટ કરશે.
એક તરફ બીજેપી 150નો દાવો કરી રહી છે તો કેજરીવાલે મોટી આગાહી કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં બીજેપીનો વોટશેર 11 ટકા ઘટશે અને આમ આદમી પાર્ટી સત્તા સુધી પહોંચવામાં સફળ રહેશે. હવે પરિણામ જ જણાવશે કે કેજરીવાલનો દાવો કેટલો સાચો છે.