Who is Jashubhai Rathwa: કોણ છે જશુભાઇ રાઠવા? છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપે આપી ટીકિટ
Who is Jashubhai Rathwa: ગુજરાત અને કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાત માટે 7 લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાંથી એક નવું નામ જશુભાઈ રાઠવાનું છે.
જશુભાઈ રાઠવાએ છોટા ઉદેપુર તાલુકાની વાસેડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શરૂઆત કરી હતી. તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ, આદિજાતિ વિકાસ નિગમના નિયામક અને ગુજરાત ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ બન્યા હતા.

જશુભાઇ રાઠવાએ BA સુધી અભ્યાસ કર્યો છે. ભાજપે તેમને 21-છોટાઉદેપુર(ST) લોકસભા બેઠક પર ટિકિટ આપી છે. જશુભાઇ રાઠવાએ 2017માં અસફળ રીતે વિધાનસભા ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણી 1100 મતોથી હારી ગયા હતા. જશુભાઇ રાઠવાએ 2007-08માં છોટા ઉદેપુર તાલુકા પંચાયત સીટ પર પણ અસફળ ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણીમાં 87 મતોથી હારી ગયા હતા.
જશુભાઇ રાઠવાએ લગભગ 11 મહિના પહેલા ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ બાદમાં તેમને પાર્ટીના નેતાઓએ યથાવત રાખવા માટે ખાતરી આપી હતી.
જશુભાઈ રાઠવા ગત 27 વર્ષની એક સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત છે. જશુભાઈ રાઠવાને પક્ષ તરફથી છોટાઉદેપુર તાલુકા યુવા મોરચા કોષાધ્યક્ષ, તાલુકા મહામંત્રી રહી ચુક્યા છે. આ સાથે તેઓ છોટાઉદેપુર તાલુકા પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ, પ્રદેશ ST મોરચા ઉપપ્રમુખ, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ડાયરેક્ટર રહી ચુક્યા છે.
આ સાથે જશુભાઇ રાઠવા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સરકાર નિયુક્તસભ્ય, તાલુકા પંચાયત સભ્ય, 2017 વિધાનસભા બીજેપી ઉમેદવાર તરીકે ફરજ નિભાવી છે.












Click it and Unblock the Notifications
