નરેન્દ્ર મોદી બાદ એક પણ મુખ્યમંત્રી 5 વર્ષ કેમ પુરા નથી કરી શકતા?
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપને સત્તા ટકાવી રાખવા ફાફા પડી રહ્યા છે. પહેલા પાટીદાર આંદોલન અને હવે કોરોનાએ ગુજરાત ભાજપની ઉંઘ હરામ કરી છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપને સત્તા ટકાવી રાખવા ફાફા પડી રહ્યા છે. પહેલા પાટીદાર આંદોલન અને હવે કોરોનાએ ગુજરાત ભાજપની ઉંઘ હરામ કરી છે. આ પહેલા આનંદીબેન પટેલને પાટીદાર આંદોલનના કારણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવુ પડ્યુ હતુ અને હવે કોરોનામાં સરકારની કામગીરીની પોલ ખુલી જતા વિજય રૂપાણીએ રાજીનામું આપવુ પડ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પુરી કરી શખ્યા નથી.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા ગુજરાતની જવાબદારી આનંદીબેન પટેલના હાથમાં આવી હતી. આનંદીબેનના શરૂઆતના સમયમાં એક સારા મુખ્યમંત્રી તરીકે ગણતરી થઈ પરંતુ પાટીદાર આંદોલને ખુરસી છીનવી લીધી. પાટીદાર અનામન આંદોલન બાદ પાટીદારોની નારાજગીન કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડયુ. આનંદીબેન પટેલ 22 મેં 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં. સવા બે વર્ષમાં જ તેમને રાજીનામું આપવું પડ્યું.
આનંદીબેનના રાજીનામાં બાદ આ જવાબદારી વિજય રૂપાણીને આપવામાં આવી. વિજય રૂપાણી માટે મુખ્યમંત્રી પદની જવાબદારી સરપ્રાઈઝ સમાન હતી. ગુજરાતમાં તેનાથી મોટા નામ ચર્ચામાં હતા ત્યારે પાર્ટીએ વિજય રૂપાણીના નામની જાહેરાત કરી તમામને ચોકાવી દીધા. જો કે વિજય રૂપાણીએ 2017 ની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ફરીથી મુખ્યમંત્રી પદ સંભાળ્યુ. પરંતું નબળુ નેતૃત્વ અને કોરોનામાં સરકારની નબળી કામગીરી બાદ વિજય રૂપાણીએ પણ મુખ્યમંત્રી ગુમાવવાનો વારો આવ્યો. વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી 11 સપ્ટેમ્બર 2021 સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં.
જો કે નરેન્દ્ર મોદી પણ તેમની છેલ્લી ટર્મ નહોંતી પુરી કરી શક્યા, પરંતું તે કેન્દ્રમાં વડાપ્રધાન થઈને જતા આ જગ્યા ખાલી થઈ હતી. તેની પાછળ કોઈ અન્ય કારણ ન હતું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
