હાર્દિક પટેલે ટ્વિટ કરી વાજપેયીથી લઇને શહિદોને કેમ કર્યા યાદ?

શું ચૂંટણી નજીક આવતા જ પાટીદાર અનામત આંદોલનમાં ભંગાણ પડવા લાગ્યા. શું આ માટે જ હાર્દિક પટેલ એક પછી એક ત્રણ ટ્વિટ કરી આ વાત કરી. જાણો આ અંગે વધુ અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે રાજકારણ અને આંદોલનકારીઓના સમીકરણો બદલાઇ નજરે આવી રહ્યા છે. રવિવારે કોંગ્રેસ સાથે સકારાત્મક વાત થયા પછી મોડી રાતે ટિકિટ મામલે ઊભા થયેલા નવા વિવાદ અને તે પછી કોંગ્રેસની ટિકિટ પર લલિત વસોયા જેવા પાસ નેતાઓના જોડાણ પછી હાર્દિક પટેલે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પછી એક ટ્વિટ કર્યા છે. જેમાં તેણે પોતાાના માટે નહીં પણ સમાજ અને શહિદ પરિવારો માટે સાથે રહેવાની વાત કરી છે.

hardik patel

જે બતાવે છે કે ક્યાંકને ક્યાંક પાસમાં પણ વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે દિનેશ બાંભણીયા ઉત્તર ગુજરાત પાસ વચ્ચે પણ નારાજગીની વાતો બહાર આવી છે. પાસના જ કેટલાક લોકો દિનેશને એનસીપીનો માણસ કહી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે રાજકારણમાં એટલા પણ ના ડૂબો કે વીરોની શહીદી ભૂલાઇ જાય. વધુમાં તેણે એક વીડિયો પણ બહાર પાડ્યો છે જે દ્વારા હાર્દિક પટેલને સમર્થન આપવાની વાત પણ કરવામાં આવી છે. ત્યારે જાણો આ ટ્વિટ અને વીડિયો વિષે અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X