11 અને 12 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી?
પંચાયતી રાજ કોન્ફરન્સ સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ તેમના ગુજરાત પ્રવાસ પર હશે, જ્યાં વડાપ્રધાન પંચાયતી રાજ પરિષદની અધ્યક્ષતા કરવાના છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક મેગા કાર્યક્રમ અને અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

આ પરિષદમાં એક વિશાળ મેળાવડો જોવા મળશે, જેને ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે નરમ શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. આ અંગે સુત્રો પાસેથી માહિતી મળી છે.
કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચાયતી રાજ કોન્ફરન્સ સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે. આ સાથે PM સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાનારો ખેલ મહાકુંભ સમારોહમાં પણ હાજર રહે તેવી શક્યતા છે અને PM મોદી ગાંધીનગરમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે.
આ સિવાય વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમિયાન તેમની માતા હીરાબાને પણ મળવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ કાર્યક્રમમાં વડાપ્રધાનની સહભાગિતાને યુવાનો સાથે જોડાણ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આગામી વિધાનસભા ચૂંટણીને કારણે વડાપ્રધાન મોદી આગામી મહિનાઓમાં નિયમિતપણે ગુજરાતની મુલાકાત લે તેવી અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
