છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ!
છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી દેવા માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી દેવા માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે મંત્રી અને મહાનુભાવોએ આદિવાસી સમાજની રૂઢિ પરંપરા પ્રમાણે પૂજા અર્ચના કરી ભગવાન બિરસા મુંડાની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દાહોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયમંત્રી દેવા માલમે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના હકક-અધિકારો, તેમની આગવી જીવનશૈલી અને તેમની સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે લેવામાં આવી રહેલા સીમાચિહ્નરૂપ પગલાઓ અંગે જાણકારી આપી બજેટમાં આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઇ અંગે જાણકારી આપી હતી. મંત્રીએ વનબંધુ કલ્યાણ યોજના વિશે પણ માહિતી આપી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ ચૌધરીએ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી.
-
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે











Click it and Unblock the Notifications
