WPL 2026 ના બે મુકાબલા દર્શકો વગર જ રમાશે, જાણો કેમ?
WPL 2026નો રોમાંચ ચરમસીમા પર છે, પરંતુ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમથી ક્રિકેટ ચાહકોને નિરાશ કરનારા સમાચાર આવ્યા છે. ટુર્નામેન્ટના 7મા અને 8મા મેચ દર્શકો વિના યોજાશે. યુપી વોરિયર્સ (UPW), દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સંલગ્ન આ મેચોમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં.

આ નિર્ણય મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીના રોજ યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે લેવાયો છે. નવી મુંબઈની NMCC સહિત 29 નગર નિગમોમાં ચૂંટણી ફરજને લીધે પોલીસે BCCIને પૂરતી સુરક્ષા વ્યવસ્થા શક્ય ન હોવાની જાણ કરી હતી.
WPL 2026નું સમયપત્રક 29 નવેમ્બરે જાહેર થયું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો 15 ડિસેમ્બરે સામે આવી. સુરક્ષા અંગે પોલીસ દ્વારા BCCIને મોડી જાણ કરાઈ, જેથી સમયસર સ્થળ બદલવું અશક્ય બન્યું. પરિણામે આયોજકોને કેટલાક મુકાબલા દર્શકો વિના યોજવા પડ્યા છે.
જો કે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે, આગામી મેચોમાં દર્શકોને ફરી પ્રવેશ મળશે. શુક્રવાર 16 જાન્યુઆરીના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં મંજૂરી અપાશે. અગાઉ અનુપલબ્ધ ટિકિટો હવે સત્તાવાર પાર્ટનર દ્વારા વેચાણ પર છે.
તેમજ, શનિવાર 17 જાન્યુઆરીના યુપી વોરિયર્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વિ દિલ્હી કેપિટલ્સના બંને મેચ દર્શકોની હાજરીમાં જ રમાશે. આ દિવસ નવી મુંબઈમાં WPL 2026નો અંતિમ મેચ ડે હશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
