યુવા મોર્ચા દ્વારા મોદી સરકારના 8 વર્ષને લઇને કાર્યક્રમો જાહેર કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય રહી ગયો છે. જેને લઇને ભાજપ દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમ આપવમાં આવી રહ્યા છે. આ કર્યક્રમોને લઇને ભારતીય જેનતા પાર્ટીના યુવા મોર્ચાની આજે કમલ ખાતે બેઠક મળી હતી. જેમા યુવા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય રહી ગયો છે. જેને લઇને ભાજપ દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમ આપવમાં આવી રહ્યા છે. આ કર્યક્રમોને લઇને ભારતીય જેનતા પાર્ટીના યુવા મોર્ચાની આજે કમલ ખાતે બેઠક મળી હતી. જેમા યુવા મોર્ચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિતના યુવા હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં યુવા માર્ચો દ્વારા પણ રાજ્ય વ્યાપી અનેક પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે મોદી સરકારના 8 વર્ષની ઉજવણી તેમજ તેના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી મોદી સરકારના 8 વર્ષના પ્લે કાર્ડ તૈયાર કરીને યુવા મોર્ચા દ્વારા દરેક જિલ્લામાં લોકો સુધી યોજનાઓ પહોચાડવાનું કામ કરવામાં આવશે.
આ બેઠકમાં સદસ્ય અભિયાનને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. 16 જૂનથી શાળા કોલેજોમાં જે વિદ્ય્રાર્થીઓ 18 થી 25 વર્ષનો મતદાતા છે. એવા લોકોને મળીને ભાજપમાં સભ્ય અભિયાનમાં જોડવામાં આવશે. 21 જૂને યોગ દિવસને લઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યોગ સંબધિત માહિતી ગુજરાતની જનતા ને આપશે. 26 તારીખે કટોકટી દિવસને લઈ પણ 1975માં જે કટોકટી આવી હતી. જેમાં લોકોએ જે યાતનાઓ ભોગવી એવા વડીલો થકી કોંગ્રેસ સરકારમાં થયેલ કટોકટી મામલે યુવા વર્ગને જાગૃતિ કરવામાં આવશે. ત્યાર બાદ શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યથિતીને લઈ પણ કાર્યક્રમો કરવામાં આવશે.