કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ 1.68 લાખ નવા કેસ, 904 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,68,912 નવા કેસ સામે આવ્યા છે જે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના સૌથી મોટા આંકડા છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,68,912 નવા કેસ સામે આવ્યા છે જે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના સૌથી મોટા આંકડા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,35,27,717 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 904 લોકો દમ તોડ્યો છે. ત્યારબાદ મોતનો આંકડો 1,70,179 પહોંચી ગયો છે. વળી, દેશમાં અત્યાર સુધી 10,45,28,565 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે.

કેજરીવાલે મંત્રીઓની મહત્વની બેઠક બોલાવી
કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત, છત્તીસગઢ સૌથી વધુ અસરગ્રસ્ત છે. બેકાબુ કોરોનાની ગતિને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે મંત્રીઓની મહત્વની બેઠક દિલ્લીમાં બોલાવી છે. અહીં છેલ્લા 24 કલાકમાં 10,774 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જેમણે પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે. દિલ્લીના સીએમ કેજરીવાલે રવિવારે સંકેત આપ્યા હતા કે જો સ્થિતિ કંટ્રોલમાં નહિ આવે તો સંપૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવી શકે છે.

લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ બચતો નથીઃ ઠાકરે
વળી, મહારાષ્ટ્રના સીમ ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યુ છે કે જે સ્થિતિ અત્યારે છે તેને જોઈને કહી શકાય છે કે લૉકડાઉન સિવાય હવે કોઈ વિકલ્પ બચતો નથી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દૈનિક કેસ આવી રહ્યા છે. વળી, પંજાબ અને છત્તીસગઢમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વનાઃ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના ઝડપથી વધતા કેસો માટે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટ વધારવાની જરૂર છે. કોરોના આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વના રહેવાના છે. દેશમાં કોરોનાથી 1.3 ટકા મોત થયા છે માટે બધાને પૂરા અનુશાસન સાથે કોરોના ગાઈડલાઈન્સને ફોલો કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ભારતમાં શનિવારે કોરોનાના રેકૉર્ડ 1.5 લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ અમેરિકા બાદ ભારત વિશ્વનો એવો બીજો દેશ બની ગયો જ્યાં એક દિવસમાં કોરોનાના દોઢ લાખ કેસ સામે આવ્યા છે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
