પુણે: હિંસા ભડકતાં 1નું મૃત્યુ, રાહુલે BJP પર મઢ્યો દોષ
પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઇની 200મી વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે હિંસા ભડકી ઊઠી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે
પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઇની 200મી વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે હિંસા ભડકી ઊઠી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેને કારણે આર્થિર ક્ષતિ પણ થઇ છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 200 વર્ષ પહેલા ભીમા-કોરેગાંવની લડાઇમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ પેશવાની સેનાને પરાજિત કરી હતી, દલિત નેતાઓ આ જીતની ઉજવણી કરે છે. કારણ કે, તેમનું માનવું છે કે, ઇતિહાસ અનુસાર ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી મહાર સમુદાયના સૈનિકો આ યુદ્ધ લડ્યા હતા અને એ સમયે તેઓ અછૂત ગણાતા હતા. સમાજમાં તેમને તિરસ્કારભરી નજરોએ જોવામાં આવતા હતા. જો કે, દક્ષિણપંથી સમૂહો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ થઇ રહ્યો છે, તેમને બ્રિટિશ જીતની ઉજવણી પર આપત્તિ છે.

શા માટે થઇ ધમાલ?
પોલીસ અનુસાર, સ્થાનિક સમુહ અને ભીડના કેટલાક સભ્યો વચ્ચે સ્મારક તરફ જતી વખતે કોઇ મુદ્દે દલીલ થઇ હતી અને એ પછી પથ્થરમારો શરૂ થયો હતો. મામલાએ વધુ ગંભીરરૂપ ધારણ કરતાં હિંસા ભડકી ઊઠી હતી. રોષે ભરાયેલા લોકોએ ખૂબ તોડફોડ પણ કરી હતી, ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જો કે, હજુ સુધી મૃતકની ઓળખાણ થઇ શકી નથી. ઇજાગ્રસ્ત લોકોમાંથી પણ કેટલાક ખૂબ ગંભીર છે.

CMએ આપ્યા તપાસના આદેશ
આ મામલે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કાયદાકીય તપાસની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ભીમા-કોરેગાંવની લડાઇની 200 વરસી પર લગભગ 3 લાખ લોકો આવ્યા હતા, અમે પોલીસના 6 કંપનીઓ ખડેપગે હાજર કરી હતી. કેટલાક લોકોએ વાતાવરણ ડહોળવા માટે હિંસા ફેલાવી છે અને આ સહન કરવામાં નહીં આવે. મૃતકના પરિવારજનોને 10 લાખનું વળતર આપવામાં આવશે અને યુવાઓના મૃત્યુ મામલે સીઆઈડી તપાસ કરશે.

સરખી વ્યવસ્થા કરવામાં નહોતી આવી
દલિતો પર થયેલ હિંસા મામલે શરદ પવારે કહ્યું કે, લોકો ત્યાં 200 વર્ષથી જઇ રહ્યાં છે, પરંતુ આવું ક્યારેય નથી થયું. આ મામલે વધુ ધ્યાન આપવાની જરૂર છે. પ્રશાસન દ્વારા યોગ્ય રીતે આની તૈયારી કરવામાં નહોતી આવી. આ કારણે જ આ પ્રકારની ઘટના થઇ છે.

રાહુલે ભાજપને આપ્યો દોષ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મામલે ભાજપના માથે દોષ મઢ્યો છે. આ અંગે ટ્વીટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું છે, આરએસએસ અને ભાજપ અનુસાર, ભારતમાં દલિતો સમાજના તળિયે જ રહેવા જોઇએ. ઉના, વેમુલા અને હવે ભીમા-કોરેગાંવ આ વાતની સાબિતિ આપે છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
