કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર, 13 દિવસમાં 10 લાખ નવા કેસ સામે આવ્યા
કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર, 13 દિવસમાં 10 લાખ નવા કેસ સામે આવ્યા
નવી દિલ્હીઃ આગામી દિવસોમાં ભારત કોરોના પ્રભાવિત દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બની શકે છે. એવું એટલા માટે કેમ કે શુક્રવારની રાતે ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર પહોંચી ગયો છે. આની સાથે જ ભારત અને બ્રાઝીલ વચ્ચે રોગીઓનું અંતર ઘટ્યું છે. જણાવી દઈએ કે શુક્રવારે જ બ્રાઝીલે પણ 40 લાખના આંકડાને પાર કરી લીધો છે. વર્તમાનમાં ત્યાં કુલ 40,41,638 લોકો કોરોનાથી સંક્રમિત છે.

ભારતમાં 40 લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કાલે કુલ 39,36,747 કોરોના સંક્રમિતોની પુષ્ટિ કરી હતી પરંતુ ત્યારથી રાત સુધી રાજ્યો દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ હવે કુલ આંકડો 40 લાખને પાર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે સરકારી વેબસાઈટ પર સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવે છે, જ્યારે નવા આંકડા શનિવારે સવારે જાહેર કરાય છે. ભારતે દૈનિક મામલામાં પાછલા તમામ રેકોર્ડ તોડી દીધા છે. શુક્રવારે સવાર સુધી ભારતમાં 83,341 નવા મામલા નોંધાયા છે. સરકારી આંકડા મુજબ કોરોનાથી મરનારાઓની સંખ્યા 68,472 છે.

13 દિવસમાં 10 લાખ નવા મામલા
આશ્ચર્ય ચકિત કરતી વાત એ છે કે દેશમાં 30 લાખ મામલામાંથી 40 લાખ થવામાં માત્ર 13 જ દિવસ લાગ્યા. એટલે કે પાછલા 13 દિવસમાં 10 લાખથી વધુ મામલાની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે દેશમાં 8,31,124 સક્રિય મામલા છે. જેને પગલે હવે દર્દી ઠીક થવાનો રાષ્ટ્રીય દર 77.15 ટકા થઈ ગયો છે જ્યારે કોરોનાથી મૃત્યુદર ઘટી 1.75 ટકા થઈ ગયો છે.

બ્રાઝીલથી માત્ર 60,000 કેસ પાછળ
જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય મુજબ અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત મહામારીથી પ્રભાવિત વિશ્વનો ત્રીજો સૌતી મોટો દેશ બની ગયો છે. જણાવી દઈએ કે જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય દુનિયાભરથી સામે આવી રહેલા મામલાઓનું સંકલન કરી રહ્યું છે. જો કે ભારત જલદી જ બ્રાઝીલથી આગળ નીકળે તેવી સંભાવના છે. શુક્રવારે સવાર સુધી ભારત બ્રાઝીલથી માત્ર 60,000 કેસ જ પાછળ હતું. આ ઉપરાંત અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી ગતિવિધિઓ ફરીથી શરૂ થયા બાદ ભારતમાં દરરોજ વધતા મામલાની સંખ્યા તેજીથી વધી રહી છે.












Click it and Unblock the Notifications
