જમ્મુ-કાશ્મીરઃ જવાહર ટનલ પર હિમસ્ખલનમાં 10 પોલિસકર્મી ગાયબ, 3ના મોત
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગ પાસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલા હિમસ્ખલન થવાથી ઓછામાં ઓછા 10 પોલિસકર્મી ગાયબ જણાવવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગ પાસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલા હિમસ્ખલન થવાથી ઓછામાં ઓછા 10 પોલિસકર્મી ગાયબ જણાવવામાં આવી રહ્યા છે. પોલિસ અને સેનાની રેસ્ક્યુ ટીમો ગાયબ પોલિસકર્મીઓને શોધવામાં લાગેલી છે. અનંતનાગમાં ત્રણ હજારના મોત થઈ ગયા જ્યારે બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. રાજ્યમાં થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.
એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે કાજીગુંડમાં જવાહર સુરંગના ઉત્તરી છેડે આ હિમસ્ખલન થયુ. આમાં 10 પોલિસકર્મી ફસાઈ ગયા જ્યારે 10 અન્ય પોલિસકર્મી સુરક્ષિત છે. ગાયબ લોકોમાં 4 જમ્મુ કાશ્મીર પોલિસના જવાન છે, 2 ડૉગ સ્ક્વૉડના અધિકારી, બે ફાયર સર્વિસમેન અને બે અન્ય લોકો હતા.
Latest visuals: Avalanche occurred near the police post in Jawahar Tunnel area in Kulgam district today. Rescue operation underway. #JammuAndKashmir pic.twitter.com/2JtMNUkmPl
— ANI (@ANI) 7 February 2019
એસએસપી કુલગામ હરમીત સિંહ અનુસાર બચાવ કાર્ય વ્યાપક ધોરણે ચલાવવામાં આવી રહ્યુ છે. સેના, પોલિસ તથા અન્ય સુરક્ષા બળ આ કાર્યમાં લાગેલા છે. આ તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના સૌંદબરારી માગામમાં હિમસ્ખલનમાં એક મકાન સંપૂર્ણપણે દબાઈ ગયુ. આ ઘટનામાં દંપત્તિનું મોત થઈ ગયુ જ્યારે બચાવદળે બે બાળકોને સુરક્ષિત કાઢી દીધા છે. કાશ્મીર ઘાટીમાં બુધવારથી જ હિમવર્ષા થઈ રહી છે.
છેલ્લા 24 કલાકમાં કુલગામ જિલ્લામાં સૌથી વધુ હિમપાત થયો છે. જિલ્લાના અમુક ભાગોમાં પાંચ ફૂટ સુધીની હિમવર્ષા થઈ. સ્નો એન્ડ એવેલાંચ સ્ટડીઝ સ્ટેબ્લિશમેન્ટે આગામી 24 કલાક માટે જમ્મુ કાશ્મીરના 22 જિલ્લામાંથી 16 માટે વિવિધ સ્તરની હિમવર્ષાની ચેતવણી જારી કરેલી છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી ડરપોક વ્યક્તિ છે, હું તેમને ઓળખી ગયો છુ': રાહુલ ગાંધી