Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગણતંત્ર દિવસે 1132 કર્મીઓને વીરતા-સેવા પુરસ્કાર, જાણો ક્યાં વિભાગને કેટલા પુરસ્કાર?

ગણતંત્ર દિવસે ભારતીય સેના અને વિવિધ સુરક્ષા દળોમાં વિશેષ વીરતાનું પ્રદર્શન કરનારા જવાનોને સન્માનવાની પરંપરા છે. આ ક્રમમાં આજે 1132 જેટલા વીરતા-સેવા પુરસ્કારોની જાહેરાત કરાઈ છે.

પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારણા સેવાઓના કુલ 1132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

Seva Medal

ગણતંત્ર દિવસ પર કુલ 277 વીરતા મેડલ આપવામાં આવશે. 277 શૌર્ય ચંદ્રકો મેળવનારાઓમાં 72 પોલીસકર્મીઓ જમ્મુ અને કાશ્મીર પોલીસના, 18 પોલીસકર્મીઓ મહારાષ્ટ્રના, 26 પોલીસકર્મીઓ છત્તીસગઢના, 23 પોલીસકર્મી ઝારખંડના, 15 પોલીસકર્મી ઓડિશાના, 8 પોલીસકર્મીઓ દિલ્હીના, 65 પોલીસકર્મીઓ CRPFના અને 21 પોલીસકર્મીઓ SSBના છે.

આ સિવાય બાકીના કર્મચારીઓમાં અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોનો સમાવેશ થાય છે. વિશિષ્ટ સેવા માટે 102 રાષ્ટ્રપતિ મેડલમાંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને એનાયત કરવામાં આવ્યા છે.

મેરીટોરીયસ સર્વિસ માટેના 753 મેડલ્સમાંથી 667 પોલીસ સેવાને, 32 ફાયર સર્વિસને, 27 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને અને 27 સુધારાત્મક સેવાને એનાયત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સાથે જ પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી સહિત NCRમાં પોલીસ સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે દિલ્હીના અનેક વિસ્તારોમાં નાકા બંધી કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X